પ્રિય મિત્રો,

ગુજરાતી ફિલ્મોનો સુવર્ણકાળ ચાલતો હતો ત્યારે એક ફિલ્મ આવી હતી, કોઈનું મિંઢળ કોઈના હાથે! આવું જ કંઈક થઈ રહ્યું છે સાહિત્યકારોની રચનાઓ સાથે!

આજે ઘનશ્યામભાઈ ઠક્કરે પોતાના બ્લૉગ પર એક પોસ્ટ મૂકીને ફરિયાદ કરી છે કે કોરલ શાહ નામની બ્લૉગરે તેમની રચનાને અખા ભગતની રચના તરીકે રજુ કરી છે (જુઓ નીચેનો સ્ક્રિન શોટ)! રચનાને બ્લૉગ પર પ્રસિદ્ધ કરવા માટેની પરવાનગી લીધી નથી કે જાણ કરી નથી. રચનાની નીચે તેમનું નામ લખ્યું નથી કે તેમના બ્લોગની લિન્ક આપી નથી.

મિત્રો, આવું આ પહેલી વખત નથી થયું, આ કૉપીકેટ બ્લોગરોને પોસ્ટ મૂકવાની બહુ જ ઉતાવળ હોય છે અને તેમની પાસે પોસ્ટમાં જે લખાણ મૂકવાનું હોય છે તે વાંચવાનો સમય હોતો નથી (અને તેઓ જરૂરી સમજતા પણ નથી કારણ કે બ્લોગ તેમના વાચક મિત્રો માટે હોય છે, તેમના પોતાના માટે નહીં!) રચના પ્રસિદ્ધ કરતાં પહેલા પરવાનગી લેવાની વાત તો દૂર પણ પ્રસિદ્ધ કરીને જાણ કરવાની તસ્દી લેતા નથી, રચનાની નીચે રચનાકારનું નામ ન લખીને રચના પોતાની છે એવો ભ્રમ ઊભો કરવાની બદમાશી કરતા હોય છે. કૉમેન્ટ કરનાર રચનાબ્લોગરની પોતાની લખેલી છે એવા મતલબની કૉમેન્ટ કરે તો પોતે લેખક નથી એવી ચોખવટ કરવાને બદલે આભાર વ્યક્ત કરતા જોવા મળે છે! લિન્ક આપવાનું ટાળતા જોવા મળે છે કારણ કે લિન્ક આપે તો તેમની નકલ ખુલ્લી પડી જાય!

ઉપરનું ઉદાહરણ જોયા પછી આપણે બીજા કેટલાક ઉદાહરણ જોઇએ…

૧) ત્રણ-ચાર મહિના ભરપુર કૉપી-પેસ્ટ કરીને પોતાના બ્લૉગની ઈમેજ ખરાબ કરનાર એક બ્લોગર મિત્રે રમેશ ગુપ્તાની રચના કવિ નર્મદના નામે પ્રસિદ્ધ કરી છે!

રમેશ ગુપ્તાની રચના = http://www.mavjibhai.com/MadhurGeeto/yashgatha.htm

કવિ નર્મદના નામે! = http://rupen007.wordpress.com/2010/01/19/

૩) પોતાને ડૉ. શરદ ઠાકરનો હાર્ડકોર ફેન ગણાવતા એક બ્લોગર મિત્રે પોતાના બ્લોગની શરૂઆત ડૉકટર સાહેબની નવલિકાઓ કૉપી-પેસ્ટ કરીને કરી હતી અને કૉપી-પેસ્ટ કરવાની લ્હાયમાં રાઘવજી માધડની વાર્તાને ડૉ. શરદ ઠાકરની નવલિકા તરીકે રજુ કરી છે!

રાઘવજી માધડની વાર્તા (દિવ્ય ભાસ્કર) = http://www.divyabhaskar.co.in/article/

ડૉ. શરદ ઠાકરની નવલિકા તરીકે = http://natkhatsoham.wordpress.com/2010/05/01/

રાઘવજી માધડનો બ્લૉગ = http://raghavaji.blogspot.com

૪) નીચેની રચના વિશે ખાંખાખોળા કરશો તો અમુક બ્લોગ પર બકુલેશ દેસાઈના નામે પ્રસિદ્ધ થઈ હશે તો અમુક બ્લૉગ પર શિલ્પીન થાનકીના નામે વાંચવા મળશે! એવું કેમ બની શકે? એક જ રચના બે કવિઓની કેવી રીતે હોઈ શકે?

સહુ કહે છે: ‘મંદિરે ઈશ્વર નથી’,
હું કહું છું: ‘ત્યાં ફ્ક્ત પથ્થર નથી’.

બકુલેશ દેસાઈના નામે મૂકનાર બ્લૉગની યાદી

શિલ્પીન થાનકીના નામે મૂકનાર બ્લૉગની યાદી

એક બ્લોગરે વર્ષો પહેલા ભૂલથી બકુલેશ દેસાઈના નામે મૂકી હતી પછી તેમણે ભૂલ સુધારી પણ લીધી પણ જૂના બ્લોગ પર એ ભૂલ એમ જ રહી જવા પામી અને જૂના બ્લોગ પરથી રચના કૉપી કરનાર કૉપીકેટ બ્લોગરના બ્લોગ પર હજીય બકુલેશ દેસાઈના નામે આ રચના વાંચવા મળે છે જ્યારે ખરેખર આ રચના શિલ્પીન થાનકીની છે!

ઉદાહરણ માટે આટલી રચનાઓ પૂરતી છે, બાકી ગણાવા બેસીએ તો અંત આવે તેમ નથી. શું તમારી રચના કોઈ બીજા નામે રજુ થાય તો તમને ગમે?

 

પ્રિય મિત્રો,

વર્ડપ્રેસ તરફથી આજે એક મસ્ત મજાની સગવડ ઉમેરવામાં આવી છે, * લાઈક! (ગમી!)

વર્ડપ્રેસને તેના વપરાશકારોની એકની એક રચના ફરી પ્રસિદ્ધ કરવાની આદતની ખબર છે તેથી તેના ઉપાય રૂપે ‘રીબ્લોગ’ નામની સુવિધા આજથી ઉમેરવામાં આવી છે. આ વાતની જાણ મને અશોકભાઈ મોઢવાડીયાની ગુજબ્લોગમાં મોકલાવેલી ઈમેઈલ દ્વારા થઈ. તે પછી કુણાલભાઈએ પણ આજ થેર્ડને આગળ ધપાવતી પોસ્ટ કરી.

* Likeની આ સુવિધા શું છે અને કેવી રીતે ઉપયોગી છે પહેલા સમજી લઈએ…

જ્યારે તમે વર્ડપ્રેસમાં લોગઈન થયેલા હશો અને તમને ગમતા બ્લોગ પર પોસ્ટ વાંચતા હશો ત્યારે ઉપર વર્ડપ્રેસ સંચાલનની પટ્ટીમાં ઉપર દર્શાવ્યા પ્રમાણે * Likeનું બટન મેનુમાં ઉમેરાયેલું દેખાશે. જે તમને ગમતી પોસ્ટને ‘ગમી, Like’ માર્ક કરવા માટે છે. એક વખત ‘ગમી’ માર્ક કર્યા પછી તે ‘you like this’ વંચાશે. તેવી જ રીતે આ પોસ્ટ અન્ય વાચકોને પણ ગમી હશે અને તેમણે તેને Like તરીકે માર્ક કરી હશે તો કેટલા વાચકોને આ પોસ્ટ ગમી તેનો આંકડો પણ દર્શાવશે! (નીચેના ચિત્રમાં તીરની નિશાની વડે દર્શાવ્યું છે) Continue reading »

 

પ્રિય મિત્રો,

લેખની શરૂઆત એક ઉગતા નવોદિત કવિની  ’સ્વરચિત’ રચનાના એક શેરથી કરીએ તો?

શું જાણે મારા દિલને શું થયું?
હજી તો અહીં એ હતું ક્યાં ગયું?

શેર જોઈને વાહ! તો કહ્યું અને પછી છંદમેળ બરાબર છે કે નહીં તે ચકાશી લેવાનું કહેતો હતો ત્યાં જ બત્તી થઈ! મેં પૂછ્યું તમે યશરાજ ચોપરાની ફિલ્મો જુઓ છો? હા, કવિ ઉવાચ, દિલવાલે દુલ્હનિયા જોઈ’તી? ૩૦ વખત, કવિ બોલ્યા! મેં કહ્યું આને સ્વરચિત કવિતા ન કહેવાય આને પ્લેજરિઝમ કહેવાય! પ્લેજરીઝમ એટલે બીજાના વિચારને પોતાના નામે રજૂ કરવા તે. સાદી ભાષામાં કહીએ તો ચોરી, ઉઠાંતરી, તફડંચી. બ્લૉગ જગતમાં આ સમસ્યા બહુ જ વ્યાપક છે.

બીજો મુદ્દો છે તે લખાણ કૉપી-પેસ્ટનો. કોઈએ મહેનત કરીને લેખ શોધીને તેને ટાઈપ કરી, ભૂલો સુધારી બ્લૉગ પર મૂક્યું હોય અને બીજો બ્લૉગર એ રચના કૉપી કરી પોતાના બ્લૉગ પર મૂકી દે! લખાણ માટે સૌજન્ય ન દાખવે. આ સમસ્યા પણ એટલી જ વ્યાપક છે.

ત્રીજો મુદ્દો છે પ્રેરણાનો. કોઈની રચનામાંથી પ્રેરણા લઈને એક નવી મૌલિક રચના બનાવવામાં આવી હોય. રચનાની શરૂઆતમાં જ મૂળ રચનાનો ઉલ્લેખ કર્યો હોવો જોઈએ નહીં તો તે રચના પ્લેજરિઝમમાં ગણાઈ જવાનો ડર રહે! દા.ત. ગિરિજા માથુરની જાણીતી રચના ‘હમ હોંગે કામયાબ’ એ  ’વી શેલ ઓવર કમ’માંથી પ્રરણા લઈને લખવામાં આવી છે.

હવે આ ત્રણેય મુદ્દાનો સંગમ આજે મારા ધ્યાનમાં આવ્યો છે. ઈન્ટરનેટ પર ઘણાં સમયથી ફરતો મૂળ અંગ્રેજી સંવાદ ચૅટિંગ વીથ ગોડમાંથી પ્રેરણા લઈ ગોવિંદભાઈ શાહએ એક લેખ લખ્યો, ઈશ્વર સાથે ઑનલાઈન અને તે રીડગુજરાતી પર ૨૧ ફેબ્રુઆરીએ પ્રસિદ્ધ થયો. લેખની શરૂઆતમાં જ પ્રેરણા બાબત યોગ્ય સ્પષ્ટતા કરવામાં આવી છે. આમ ગોવિંદભાઈએ પ્રામાણિકતાથી પોતાના વિચારો રજુ કર્યા છે.

પહેલી એપ્રિલના આ જ લેખ કેતન દવેના નામે દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયો. આ જુઓ તેનો સ્ક્રિન શૉટ: Continue reading »

 

પ્રિય મિત્રો,

લેખની શરૂઆત કરતાં પહેલા મારા પ્રિય લેખક અને જાણીતા તત્વચિંતક શ્રી ગુણવંત શાહના વિચારો જાણીએ:

પ્રભુએ મનુષ્યને બે બાબતની છૂટ આપી રાખી છે. માણસ સડવા માટે અને પડવા માટે બિલકુલ સ્વતંત્ર છે. માણસના વિનિપાતની નિશાની કઈ? એ જ્યારે પોતાની જાતને છેતરવામાં ઉસ્તાદ બની જાય ત્યારે પોતાની ભૂલ પણ એને વાજબી લાગવા માંડે છે. ભૂલના લૂલા બચાવ માટે એ સામેવાળા સાથે એવી રીતે બાખડે છે કે બીજા લોકો જોતા જ રહી જાય! કલર બ્લાઈન્ડ લોકોને રંગની પરખ નથી હોતી. એ જ રીતે કેટલાક લોકો ‘મિસ્ટેક બ્લાઈન્ડ’ બની જાય ત્યારે પોતાની ભૂલ નથી જોઈ શકતા. ભૂલ કર્યા પછી નફ્ફટ બનીને એનો જોરદાર બચાવ કરવાનો પણ એક નશો હોય છે. આવો માણસ સડવાનું અને પડવાનું સ્વરાજ ભોગવે છે.

-ગુણવંત શાહ, ‘જાતને છેતરવાની જીદ’, ‘કાર્ડિયોગ્રામ’, ‘ચિત્રલેખા’, ૨૯/૩/૨૦૧૦

બ્લોગ જગતમાં નકલખોરી કરતા બ્લોગ મારી જાણમાં આવે એટલે તરત જ હું તેમને કૉમેન્ટ અને/અથવા ઈમેઈલ વડે જાણ કરું. સામન્ય રીતે બ્લોગર મારી મેઈલ વાંચીને યોગ્ય સુધારો કરી લેતા હોય છે પણ કેટલાક અણસમજુ, જીદ્દી, ઉદ્ધત અને તોછડા સ્વભાવના બ્લોગર વાત સમજવા જ તૈયાર હોતા નથી અને સામી મને સલાહો આપતા હોય છે કે તમારે કૉપી-પેસ્ટનો વિરોધ કરવાની શું જરૂર?

આવા જ એક બ્લોગર છે રૂપેન પટેલ (જ્ઞાનનું ઝરણું) તેમણે ‘દિવ્ય ભાસ્કર’, ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ’, વિકિપિડિયા, ગુર્જરી.નેટ, વેબ દુનિયા, ઈકોનોમિક્સ ટાઈમ્સ જેવી વેબસાઈટ અને બ્લોગ જગતના કેટલાય સમૃદ્ધ બ્લોગ પરથી લખાણ કૉપી કરીને પોતાનો બ્લોગ સજાવ્યો હતો. આ બાબતની જાણ કરતાં તેમણે મને તોછડો અને ઉદ્ધત જવાબ આપ્યો. આ બાબત ગુજબ્લોગમાં ચર્ચાઈ ગઈ છે તેથી અહીં પુનરાવર્તન કરતો નથી.

૧૨મી માર્ચે ગુજબ્લોગમાં જાણ કરી કે રૂપેન પટેલ દિવ્ય ભાસ્કરમાંથી જોડણી ભૂલો સહિતની વાર્તા વાંચ્યા વગર જ પોતાના બ્લોગ પર પ્રસિદ્ધ કરી દીધી છે. આ જાહેરાતના બીજા દિવસે એક નવો ભૂતિયો બ્લોગ તરતો મૂકાયો, નામ છે, ‘ચોતરો’ અને તેની કેચલાઈન છે, આવો વાતોનાં વડા કરીએ! બ્લોગરનું નામ wbtacker320 છે. પહેલી પોસ્ટમાં રજૂ કરેલા મુખ્ય મુદ્દા જોઈએ… Continue reading »

 

પ્રિય મિત્રો,

તમે બરાબર જ વાંચ્યું છે. આજની પોસ્ટનું મથાળું છે કૉપી-પેસ્ટ કેવી રીતે કરશો?

ગઈ કાલની પોસ્ટ મેનેજમેન્ટનું પંચતંત્ર કૉપી-પેસ્ટ કેવી રીતે કરવું તેની પૂર્વ તૈયારી રૂપે હતી. કૉપી કરવી ગુનો નથી. કેવી રીતે કૉપી કરવામાં આવી છે તેના પ્રમાણે ગુનો બને છે. ગઈ કાલની પોસ્ટ માટે મેં લેખક શ્રી વિદ્યુતભાઈ જોષીની પરવાનગી લીધી હતી (નીચેનું ચિત્ર). આવી રીતે પરવાનગી લઈને રચના રજુ કરીએ તેમાં રચનાકાર અને રજુકર્તા બંનેનું માન જળવાય છે.

Continue reading »

Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME