પ્રિય મિત્રો,
એક વધુ લાંબા વિરામ બાદ આજે, પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે બ્લૉગ અપડૅટ કરી રહ્યો છું. સારા વરસાદ પછી પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઊઠી છે અને મહારાષ્ટ્રમાં સહ્યાદ્રીની પર્વતમાળામાં ફરવાની મજા માણવા જેવી છે. આવનારા દિવસોમાં પુણે અને આજુબાજુના વિસ્તારોમાં આવેલા ભોળાનાથના પ્રાચિન મંદિરોનો પરિચય કરવવાનો વિચાર છે.
બ્લૉગ વિશ્વના કેટલાક જાણવા જેવા સમાચાર…
- વર્ડપ્રેસ તરફથી તાજેતરમાં એક નવો થીમ ઉમેરવામાં આવ્યો છે, કોરાલાઈન. સ્વચ્છ, સરળ અને સારો થીમ છે. જૂના અને જાણીતા થીમ ‘કટલાઈન’ની જગ્યાએ આ નવો થીમ આવ્યો છે.
- ટહુકો.કોમ બ્લોગને શિકાગો આર્ટ સર્કલ તરફથી ગુજરાતી સાહિત્ય અને સંગીતના સંવર્ધન માટે એવોર્ડ આપવામાં આવ્યો. લોકો હવે બ્લૉગને સિરિયસથી લેવા લાગ્યા છે એના એંધાણ વર્તાઈ રહ્યા છે.
- વિજયભાઈ શાહના ચિંતન જગતનો પાંચમા વર્ષમાં પ્રવેશ.
બીજા સમાચારો હવે પછી…
આપના પ્રતિભાવ