પ્રિય મિત્રો,

ઈચ્છા મૃત્યુ વિશે થોડા સમય પહેલાં સંજય લીલા ભણસાળીની એક ફિલ્મ આવી હતી, ગુજારીશ. ફિલ્મ જોઈને ઈચ્છા મૃત્યુ વિશે બ્લૉગ પર લખવાનો વિચાર આવ્યો. ઈચ્છા મૃત્યુ વિશે મારા વિચારો રજુ કરું તે પહેલાં, ચાલો, આજે આપણે જાણીતા લેખક અને પત્રકાર શ્રી સૌરભ શાહના વિચારો જાણીએ. આ લેખ તેમના પુસ્તક મનની બાયપાસ સર્જરીમાંથી (પરવાનગી સાથે) લેવામાં આવ્યો છે:

જે પોષતું તે મારતુંનો કુદરતી ક્રમ ખોરવાઈ જાય ત્યારે – સૌરભ શાહ

૧૯૮૦માં ભારતની સંસદમાં મર્સી કિલિંગ અંગેનો એક ખરડો રજૂ કરવામાં આવ્યો હતો. આ ખરડામાં એવું સૂચન હતું કે અસાધ્ય રોગથી પીડાતી કે સંપૂર્ણપણે પથારીવશ થઈ ગયેલી અત્યંત બીમાર વ્યક્તિ પોતાના મૃત્યુ માટે જિલ્લા સરકારી હૉસ્પિટલના સિવિલ સર્જ્યનને અરજી કરી શકે અથવા પોતાના સ્વજન દ્વારા કરાવી શકે. સિવિલ સર્જ્યન જે નિર્ણય આપે તે વિશે એક તબીબ બોર્ડ તપાસ કરે અને જિલ્લા મૅજિસ્ટ્રેટ સમક્ષ પોતાની દરખાસ્ત રજૂ કરે. મૅજિસ્ટ્રેટ હકીકતોની ચોકસાઈ કરી પરવાનગી આપે અને સિવિલ સર્જ્યન દર્દીની ઈચ્છા પ્રમાણે એને મોત બક્ષે.

તે વખતના કોંગ્રેસી સંસદસભ્ય મૂલચંદ બગ્ગાએ આ કાંતિકારી ખરડો લોકસભામાં રજૂ કર્યો ત્યારે બહુમતી એમની વિરુદ્ધ થઈ ગઈ. ખરડો કાયદો ન બની શક્યો. આપણી રૂઢિચુસ્તતા અને આપણા બંધિયાર દિમાગો આવા વિચારોનો સ્વીકાર ન કરે એમાં નવાઈ નથી. પશ્ચિમના દેશોમાં યુથેનેસિયા (કષ્ટ વિનાનું સ્વૈચ્છિક મૃત્યુ) સામાન્ય બની જશે ત્યારે આપણે આની પાછળની ભાવના સમજી શકીશું, તે પહેલાં નહીં. કૂવામાં રહેતો ભારતીય સમાજ બપોરે જ સૂરજ જોઈ શકે છે. એના માટે એ સૂર્યોદય હોય છે. Continue reading »

Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME