પ્રિય મિત્રો,

થોડા સમય પહેલા ઈન્ટરનેટ પર એક ટૂચકો ફરતો હતો, ફેસબુક વડે પૈસા કમાઓ! જેમાં ફેસબુકનું તમારું આઈડી ડિલિટ કરવાની રીત દર્શાવવામાં આવી હતી અને અંતે કામે લાગી જવાનું કહેવામાં આવ્યું હતું! ;)

સાચી વાત છે, ફેસબુકમાંથી નવરો થશે ત્યારે કામે લાગશે અને કામે લાગશે તો પૈસા આપોઆપ આવશે!

મૂળ વાત પર આવીએ તો શું કોઈ પણ સાઈટથી પીછો છોડાવવો સહેલો છે? ના, મોટાભાગની સાઈટ તમારું આઈડી ડિલિટ કરતી નથી પણ સસપેન્ડ કરી નાખે છે અને થોડા સમય પછી ફરી શરુ કરી દેતી હોય છે. ક્યારે તેઓ શરૂ કરી દેશે તે નાના ફોન્ટમાં ક્યાંક લખેલું હોય છે જે આપણને નં વંચાય કે આપણે તે ન વાંચીએ તેમાં જ આવી સાઈટની ભલાઈ રહેલી હોય છે!

તો આવી સાઈટથી પીછો કેવી રીતે છોડાવશો?

જવાબ છે અકાઉન્ટ કિલર.કોમ!

આ સાઈટ પર જાણીતી સાઈટ પરથી તમારું અકાઉન્ટ સંપૂર્ણ પણે કેવી રીતે દૂર કરવાનું તે માટેની વિધિ આપેલી છે. બહુ જ સરળ છે. અને, હા. તે માટે તમારે અકાઉન્ટકિલર.કોમ પર લોગઈન થવાની કે જે અકાઉન્ટથી પીછો છોડાવનો છે તેનો પાસવર્ડ આપવાની જરૂર પડતી નથી!

 

પ્રિય મિત્રો,

રવિવાર તા. ૧૬/૧/૨૦૧૧ના ગુજરાત સમાચારની ‘નેટવર્ક’ કૉલમમાં ગુણવંત છોટાલાલ શાહએ પોતાના લેખ સાથે ડૉ. કે. આર. મોમિન ‘અશોક’ના નામે સોનેરી સૂત્રો રજુ કર્યા છે જે આ પ્રમાણે છે…

આ સોનેરી સૂત્રો વાંચીને આપને થયું હોય કે ક્યાંક વાંચ્યા છે તો તમારી ધારણા સાચી છે. આ સૂત્રો તમે ‘ચિત્રલેખા’ની ‘મુખવાસ’ કૉલમમાં ડો. દિલિપ મોદીના નામે વાંચ્યા હતા!!!

મૂળ અંગ્રેજી લખાણ ‘ટિપ્સ ટુ લાઈફ’નો આ બંદાએ કરેલો ગુજરાતી અનુવાદ જીવન જીવવાની જડીબુટ્ટી‘ બહુ વંચાયો, ગમ્યો, ફોર્વર્ડ થયો અને કેટલાય નામી-અનામી બ્લૉગ પર મૂકાયો.

ડૉ. દિલીપભાઈ મોદી પછી આ બીજા ડૉક્ટર છે જેમણે કોઈકનું લખેલું લખાણનું કોઈકે કરેલું ભાષાંતરને પોતાના પ્રિસ્ક્રિપશન તરીકે છપાવ્યું છે!

ગુજરાત સમાચારના નેટવર્ક કૉલમના લેખક શ્રી ગુણવંતભાઈ છોટાલાલ શાહનો સંપર્ક કરવાના પ્રયાસ ચાલુ છે…!

Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME