ગઈકાલે સમાચારોમાંથી જાણ્યું કે ટાટાની ટચુકડી કાર ‘નેનો’નો પ્લાન્ટ હવે સિંગુરથી સાણંદ આવશે.

સાણંદ ક્યાં આવ્યું વિચારતાં યાદ આવ્યું કે ભુજ જતાં અમદાવાદ પછી, વિરમગામ પહેલા સાણંદ ગામ આવે છે. સાણંદ સાથેની સ્મૃતિઓ વિશે વિચારતાં યાદ આવ્યું કે નળ સરોવરમાં પક્ષીઓની ફોટોગ્રાફી કરવા ગયા હતા ત્યારે સાણંદ સ્ટેશને ઉતર્યા’તા!

થોડા સમય પહેલાં સમાચારોમાં વાંચ્યું હતું કે ૨૦૨૦માં નળસરોવર શહેરમાં હશે પણ હવે ગઈકાલના સમાચાર વાંચીને મને નથી લાગતું કે હવે ૨૦૨૦ સુધી રાહ જોવી પડે!

દૂર દૂરથી આવતા વિદેશી પક્ષીઓ હવે ક્યાં ઉતરશે? અને આપણે પક્ષીઓની ફોટોગ્રાફી કરવા ક્યાં જશું?

Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME