પ્રિય મિત્રો,
આજે આપણે અહીં નથી શકતો રદીફ તરીકે વપરાયા હોય તેવી ગઝલોની વાત કરીશું, જાણે એક મિની મુશાયરો કરીશું!
આ પોસ્ટ બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો ટૂંકમાં જણાવી મૂળ વાત પર આવું. થોડા સમય પહેલા એક કૉપીકેટ બ્લૉગરે એક જાણીતા અને સમૃદ્ધ બ્લૉગની એક પોસ્ટની (ટાઈપ ભૂલો સહિત) નકલ કરીને પોતાના બ્લૉગ પર મૂકી હતી. આદત પ્રમાણે એ પોસ્ટના મૂળ વિશે ખાંખાખોળા કરવા જતાં ગૂગલ સર્ચમાં ગઝલના રદીફના શબ્દો મૂક્યા અને ગૂગલે એ રદીફવાળી ગઝલોનો ખડકલો કરી દીધો મારી સામે!
ચાલો માણીએ તેમાંથી કેટલીક ચૂંટેલી ગઝલો:
ઋષિ વાળી શકે છે એમ મન વાળી નથી શકતો,
કરુણતાને ગીતાના શ્લોકમાં ઢાળી નથી શકતો.
કહે છે મોત જેને એ અસલમાં છે જબરજસ્તી,
હરિઈચ્છા કહી એને હું પંપાળી નથી શકતો.
- અમૃત ઘાયલ
સૌજન્ય: લયસ્તરો Continue reading »