પ્રિય મિત્રો,
ગુજરાતી ફિલ્મોનો સુવર્ણકાળ ચાલતો હતો ત્યારે એક ફિલ્મ આવી હતી, કોઈનું મિંઢળ કોઈના હાથે! આવું જ કંઈક થઈ રહ્યું છે સાહિત્યકારોની રચનાઓ સાથે!
આજે ઘનશ્યામભાઈ ઠક્કરે પોતાના બ્લૉગ પર એક પોસ્ટ મૂકીને ફરિયાદ કરી છે કે કોરલ શાહ નામની બ્લૉગરે તેમની રચનાને અખા ભગતની રચના તરીકે રજુ કરી છે (જુઓ નીચેનો સ્ક્રિન શોટ)! રચનાને બ્લૉગ પર પ્રસિદ્ધ કરવા માટેની પરવાનગી લીધી નથી કે જાણ કરી નથી. રચનાની નીચે તેમનું નામ લખ્યું નથી કે તેમના બ્લોગની લિન્ક આપી નથી.

મિત્રો, આવું આ પહેલી વખત નથી થયું, આ કૉપીકેટ બ્લોગરોને પોસ્ટ મૂકવાની બહુ જ ઉતાવળ હોય છે અને તેમની પાસે પોસ્ટમાં જે લખાણ મૂકવાનું હોય છે તે વાંચવાનો સમય હોતો નથી (અને તેઓ જરૂરી સમજતા પણ નથી કારણ કે બ્લોગ તેમના વાચક મિત્રો માટે હોય છે, તેમના પોતાના માટે નહીં!) રચના પ્રસિદ્ધ કરતાં પહેલા પરવાનગી લેવાની વાત તો દૂર પણ પ્રસિદ્ધ કરીને જાણ કરવાની તસ્દી લેતા નથી, રચનાની નીચે રચનાકારનું નામ ન લખીને રચના પોતાની છે એવો ભ્રમ ઊભો કરવાની બદમાશી કરતા હોય છે. કૉમેન્ટ કરનાર રચનાબ્લોગરની પોતાની લખેલી છે એવા મતલબની કૉમેન્ટ કરે તો પોતે લેખક નથી એવી ચોખવટ કરવાને બદલે આભાર વ્યક્ત કરતા જોવા મળે છે! લિન્ક આપવાનું ટાળતા જોવા મળે છે કારણ કે લિન્ક આપે તો તેમની નકલ ખુલ્લી પડી જાય!
ઉપરનું ઉદાહરણ જોયા પછી આપણે બીજા કેટલાક ઉદાહરણ જોઇએ…
૧) ત્રણ-ચાર મહિના ભરપુર કૉપી-પેસ્ટ કરીને પોતાના બ્લૉગની ઈમેજ ખરાબ કરનાર એક બ્લોગર મિત્રે રમેશ ગુપ્તાની રચના કવિ નર્મદના નામે પ્રસિદ્ધ કરી છે!

રમેશ ગુપ્તાની રચના = http://www.mavjibhai.com/MadhurGeeto/yashgatha.htm
કવિ નર્મદના નામે! = http://rupen007.wordpress.com/2010/01/19/
૩) પોતાને ડૉ. શરદ ઠાકરનો હાર્ડકોર ફેન ગણાવતા એક બ્લોગર મિત્રે પોતાના બ્લોગની શરૂઆત ડૉકટર સાહેબની નવલિકાઓ કૉપી-પેસ્ટ કરીને કરી હતી અને કૉપી-પેસ્ટ કરવાની લ્હાયમાં રાઘવજી માધડની વાર્તાને ડૉ. શરદ ઠાકરની નવલિકા તરીકે રજુ કરી છે!

રાઘવજી માધડની વાર્તા (દિવ્ય ભાસ્કર) = http://www.divyabhaskar.co.in/article/
ડૉ. શરદ ઠાકરની નવલિકા તરીકે = http://natkhatsoham.wordpress.com/2010/05/01/
રાઘવજી માધડનો બ્લૉગ = http://raghavaji.blogspot.com
૪) નીચેની રચના વિશે ખાંખાખોળા કરશો તો અમુક બ્લોગ પર બકુલેશ દેસાઈના નામે પ્રસિદ્ધ થઈ હશે તો અમુક બ્લૉગ પર શિલ્પીન થાનકીના નામે વાંચવા મળશે! એવું કેમ બની શકે? એક જ રચના બે કવિઓની કેવી રીતે હોઈ શકે?
સહુ કહે છે: ‘મંદિરે ઈશ્વર નથી’,
હું કહું છું: ‘ત્યાં ફ્ક્ત પથ્થર નથી’.
બકુલેશ દેસાઈના નામે મૂકનાર બ્લૉગની યાદી
શિલ્પીન થાનકીના નામે મૂકનાર બ્લૉગની યાદી
એક બ્લોગરે વર્ષો પહેલા ભૂલથી બકુલેશ દેસાઈના નામે મૂકી હતી પછી તેમણે ભૂલ સુધારી પણ લીધી પણ જૂના બ્લોગ પર એ ભૂલ એમ જ રહી જવા પામી અને જૂના બ્લોગ પરથી રચના કૉપી કરનાર કૉપીકેટ બ્લોગરના બ્લોગ પર હજીય બકુલેશ દેસાઈના નામે આ રચના વાંચવા મળે છે જ્યારે ખરેખર આ રચના શિલ્પીન થાનકીની છે!
ઉદાહરણ માટે આટલી રચનાઓ પૂરતી છે, બાકી ગણાવા બેસીએ તો અંત આવે તેમ નથી. શું તમારી રચના કોઈ બીજા નામે રજુ થાય તો તમને ગમે?