આજકાલ મેનેજમેન્ટની બોલબાલા છે. જેમ જૂના જમાનામાં ધર્મ પાસે બધા પ્રશ્નોના ઉકેલ હતા તેમ આજે મેનેજમેન્ટ વિજ્ઞાન પાસે જગતનાં તમામ દુ:ખોનો રામબાણ ઇલાજ છે. જેમ ધર્મ કહેતો કે ગરીબી માટે માણસનાં કર્મો જવાબદાર છે, તેમ મેનેજમેન્ટ કહે છે કે ગરીબી એ મેનેજેરિયલ પ્રોબ્લેમ છે.

જૂના જમાનામાં કોઇ બાવો પોતાને ઇશ્વરની કક્ષા સુધી પહોંચાડી દેતો તેમ એક વાર મેનેજમેન્ટની કંઠી બાંઘ્યા પછી કેટલાયે માણસો મેનેજમેન્ટ ગુરુ બની જાય છે, સૂંઠને ગાંગડે ગાંધી થઇ જાય છે. જેમ જૂના જમાનામાં પંચતંત્ર હતું તેમ આધુનિક જમાનામાં મેનેજમેન્ટ પાસે ‘કેસ સ્ટડી’ છે. તો જોઇએ પંચતંત્રના સ્વરૂપમાં કેટલાંક કેસલેટ્સ એટલે કે લઘુ કથાનકો.

* * * * * * * * * *

બાદશાહ અકબરના દરબારમાં ઘોડાનો સોદાગર ઘોડા વેચવા આવ્યો. બે ઘોડી અદ્દલ સરખી દેખાય. સોદાગર કહે, ‘આમાં એક મા છે ને બીજી દીકરી છે. જો તમે કહી આપો કે મા કઇ અને દીકરી કઇ તો એક ઘોડી પર બીજી ફ્રીમા આપી દઉ.’ ભલભલા અશ્વનિષ્ણાતો કહી ન શક્યા. છેવટે બાદશાહે બિરબલને જવાબ શોધવા કહ્યું.

બિરબલે બંને ઘોડીને ખૂબ દોડાવી. પછી બંનેની પીઠ પર હાથ મૂકતાં એકને પસીનો થયો હતો, બીજાને નહોતો થયો. બીરબલે કહ્યું, ‘પસીનો છે તે મા છે, પસીનો નથી તે દીકરી છે.’ અકબર બાદશાહને એક ઘોડી મફત મળી.

(કથાબોધ : સોદાગરે ઘોડીના ભાવ બમણા કરી પછી એક પર એક ફ્રી આપવાની વાત કરી. વેચાણની આ યોજનામાં ગ્રાહકને બમણો સંતોષ મળે છે, એક પોતે બુદ્ધિમાન હોવાનો ગર્વ થાય છે. બે, તેને એક ઘોડી મફત મળી તેમ લાગે છે.) Continue reading »

 

પ્રિય મિત્રો,

ઘણા સમય પછી આજે મેનેજમેન્ટ સ્ટોરી વિભાગમાં પોસ્ટ મૂકી રહ્યો છું, આશા છે ગમશે.

-વિનય ખત્રી

એક દિવસ એક કૂતરો જંગલમાં ફરવા ગયો અને પછી રસ્તો ભૂલી ગયો. ઘણી વાર સુધી જંગલમાંથી બહાર નીકળવાના ફાંફા માર્યા પણ સફળ થયો નહીં. બપોર નમવા લાગી હતી અને ત્યાં તેણે જોયું કે સામેથી જંગલનો રાજા સિંહ આવી રહ્યો છે! સિંહનો મિજાજ જોઈને કૂતરાના મોતિયા મરી ગયા. આજુબાજુ જોયું તો ત્યાં કેટલાક હાડકાં પડેલાં જોયાં. તેમાંથી  તેણે એક મોટું હાડકું લીધું અને સિંહ તરફ પીઠ કરીને બેસી ગયો. હાડકાને ચૂસતાં ચૂસતાં મોટેથી બોલ્યો, “વાહ! સિંહનો શિકાર કરવાની વાત જ અલગ છે, હજુ એકાદ સિંહ મળી જાય તો પૂરું પેટ ભરાય અને મજા પડી જાય!” એમ કહી કૂતરાએ મોટેથી ઓડકાર ખાધો.
DO NO COPY give link to http://funngyan.com/2009/09/14/dogandlion/
સિંહ આ વાત સાંભળીને મોળો પડી ગયો. સિંહને લાગ્યું કે આ કૂતરો તો સિંહનો શિકાર કરે એવો માથાભારે લાગે છે. જીવ બચાવો અને ભાગો અહીંથી.
DO NO COPY give link to http://funngyan.com/2009/09/14/dogandlion/
ત્યાં ઝાડ પર બેઠેલો વાંદરો આ તમાશો જોઈ રહ્યો હતો. તેણે વિચાર્યું સિંહ સાથે સંબંધો સુધારવાનો આ સારો મોકો છે. સિંહને જઈને સાચી વાત કરી દઉં. સિંહ સાથે મિત્રતા થશે તો હંમેશને માટે જીવનું જોખમ ટળશે. તરત તે ઝાડ પરથી ઉતરીને સિંહની પાછળ ભાગ્યો.
DO NO COPY give link to http://funngyan.com/2009/09/14/dogandlion/
કૂતરાએ વાંદરાને સિંહની પાછળ જતા જોયો એટલે તેને થયું કે કંઈક લોચો લાગે છે. ત્યાં વાંદરાએ સિંહ પાસે જઈને બધી વાત કરી દીધી અને કહ્યું કે કૂતરાએ જંગલના રાજાને બેવકૂફ બનાવ્યો છે. સિંહ જોરથી ગર્જ્યો અને વાંદરાને કહ્યું, ‘ચાલ મારી સાથે, હમણાં જ જઈને કૂતરાના નાટકનો અંત આણીએ…” એમ કહી સિંહે વાંદરાને પોતાની પીઠ પર બેસાડીને કૂતરા તરફ દોડ્યો.
DO NO COPY give link to http://funngyan.com/2009/09/14/dogandlion/
કૂતરાએ સિંહને આવતાં જોયો અને ફરી એક વાર સિંહ તરફ પીઠ કરીને બેસી ગયો અને જોરથી બોલવા લાગ્યો, ‘એક કલાક થઈ ગયો… ક્યાં મરી ગ્યો આ વાંદરો. ક્યારનો મોકલ્યો છે એક સિંહને ભોળવીને લઈ આવવા માટે…”

આને કહેવાય ભયનું મેનેજમેન્ટ!

(ઈન્ટરનેટ પર ફરતી હિન્દી વાર્તાનો ભાવાનુવાદ. (આ વાર્તા આ ઉપરાંત બીજા પણ ઘણાં બ્લોગ પર છે, હિન્દી તેમજ રોમન લિપિમાં પણ ફરે છે.))

  • મેનેજમેન્ટ સ્ટોરી વિભાગની અન્ય વાર્તાઓ વાંચવા માટે અહીં ક્લિક કરો.
 

જાપાનીઓને ખાવા માટે હંમેશા તાજી માછલીઓ જોઇએ. જાપાનના નજીકના પાણીમાં તે મળવી મુશ્કેલ. તેથી માછીમારો મોટી નાવ લઈને દૂર સુધી જવા લાગ્યા. આમ કરવાથી વધારે સમય લાગતો અને માછલીઓ જોઈએ તેવી તાજી નહોતી રહેતી. આ સમસ્યાનો ઉકેલ લાવવા માછીમારોએ નાવમાં ફ્રીજ (રેફરીજરેટર)ની સગવડ કરી પણ તાજી માછલી અને થીજાવેલી માછલીના સ્વાદનો ફરક જાપાનીઓથી છાનો ન રહ્યો અને તેમણે ફરિયાદ કરી. માછીમારોએ તેનો પણ ઉપાય શોધી કાઢ્યો. હવે તેઓ નાવની અંદર એક પાણીની ટાંકી બેસાડી. માછીમારો માછલી પકડીને પાણીની ટાંકીમાં નાખી દેતા. સ્વાદ શોખીન જાપાનીઓને આવી રીતે બંધિયાર પાણીમાં દિવસો સુધી પડી રહેલી માછલીના સ્વાદમાં અને તરવરતી તાજી માછલીના સ્વાદમાં બહુ ફરક દેખાયો.

માછીમારો મુંજાયા, હવે કરવું શું? તાજી માછલીઓ મળતી નથી અને મળે છે તે શહેરમાં પહોંચતા સુધી તાજી રહેતી નથી. આખરે માછીમારો પણ જાપાની ખરાને? તેમણે ઉપાય શોધી કાઢ્યો. Continue reading »

 

બાળ ઊંટ અને તેની મા વચ્ચેના સંવાદ:

મા, એક પ્રશ્ન પુછું?

હા બેટા, શું પુછવું છે તારે?

મા, આપણી પીઠ પર ખૂંધ શા માટે હોય છે?
copied from http://funngyan.com/2008/07/25/camel_story/
બેટા, આપણે રણમાં વસતા પ્રાણીઓ છીએ એટલે ભગવાને આપણને ખૂંધ આપી છે, જે પાણીનો સંગ્રહ કરવા કામ આવે અને રણમાં જ્યારે પાણી વગર રહેવું પડે ત્યારે તે પાણી શરીરને મળી રહે.

સારું, મા, આપણાં પગ આટલા લાંબા કેમ છે અને પગના પંજા ગોળ કેમ છે?

બેટા, રણની રેતીમાં આપણે સરળતાથી ચાલી શકીએ ને તે માટે!

અને મા, આ લાંબી લાંબી પાંપણો ક્યારેક મને આડી આવે છે, તે આટલી લાંબી કેમ છે?

બેટા, આપણી લાંબી પાંપણો રણની ઉડતી રેતી અને પવનથી આપણી આંખોનું રક્ષણ કરે છે.  Continue reading »

Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME