Archive for the ‘બ્લોગ જગત’ Category
ભગવદ્ગોમંડલ ઓનલાઈન

પ્રિય મિત્રો,
વિનય એટલે કે…
૧. આભ્યંતર તપનો એક પ્રકાર; પૂજ્ય કે માન આપવા લાયક માણસનો આદર કરવા રૂપ તપ. (પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, શાસ્ત્રપઠન, ધ્યાન અને કાયોત્સર્ગ એ છ આભ્યંતર તપ છે. - શ્રીમદ્ રાજચંદ્ર)
૨. ઉપદેશ
૩. (જૈન) ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તવું તે.
૪. દંડ; શિક્ષા
૫. નમસ્કાર; પ્રણામ
૬. નમ્રતા, નમ્રપણું
૭. નમ્રતા દેખાડવી તે; વિવેક; સલુકાઈ; મર્યાદશીલતા; નમ્રતાથી જે વિવેક કરવો તે; સભ્યતા; શિષ્ટાચાર. ગાંધીજી લખે છે કેઃ વિનય સત્યાગ્રહનો કઠિનમાં કઠિન અંશ છે. વિનય એટલે માનપૂર્વક વચન ઉચ્ચારણ એટલો જ અર્થ અહીં નથી. વિનય એટલે વિરોધી પ્રત્યે પણ મનમાં આદર, સરળ ભાવ, તેના હિતની ઈચ્છા ને તે પ્રમાણે વર્તન. સત્યના આગ્ર વિનાનો વિનય વિનય નથી પણ ખુશામત છે, દંભ છે, તેથી ખરું જોતાં તે અવિનય છે. Read the rest of this entry »
વર્ડપ્રેસ ૨.૭ આવી રહ્યું છે…
પ્રિય મિત્રો,
સહર્ષ જણાવવાનું કે જે સુવિધાને કારણે આપણે સરળતાથી બ્લોગ ચલાવીએ છીએ તે વર્ડપ્રેસનો નવો અવતાર વર્ડપ્રેસ ૨.૭ આવવાની તૈયારીમાં છે. અત્યારે આપણે બધા વર્ડપ્રેસ ૨.૬ વાપરીએ છીએ. નવા અવતારમાં ઊડીને આંખે વળગે તેવી વાત એ છે કે તેનું નેવિગેશન મેનુ ઉપરની તરફ નહીં પણ ડાબી તરફ હશે.

નવા અવતારમાં ડાબી તરફ ગોઠવાયેલું સરળ નેવિગેશન મેનુ ઉપરાંત પણ ઘણી બધી બાબતો છે જેની વિગતવાર ચર્ચા નેટસૅવિ વિભાગમાં પછી કરીશું, અત્યારે ઉપર ઉપરથી નજર કરી લઈએ:
કોમેન્ટ્સ એપીઆઈ, કીબોર્ડ શોર્ટકટ્સ વડે કોમેન્ટ મોડરેશન (જેથી કોમેન્ટનું મોડરેશન ઝડપથી થઈ શકશે), થીમ અપડેટ એપીઆઈ, ડેશબોર્ડ અને લખવાના બોક્ષની નવી ગોઠવણ, વાચકોની ઢગલાબંધ કોમેન્ટ્સમાંથી સંપાદકની કોમેન્ટ અલગ તરી આવે તે માટેની વિશેષ ગોઠવણ, સાઈટ મેપ્સ, કોમેન્ટ થ્રેડીંગ (કોમેન્ટ પર પણ કોમેન્ટ લખવાની સગવડ), એક સાથે એકથી વધુ લેખના વિભાગોને સંપાદીત કરી શકાશે. (આ માહિતી મને અહીંથી મળી.)
વર્ડપ્રેસ ૨.૭નો પ્રત્યક્ષ અનુભવ લેવા માટે અહીં ક્લિક કરો, યુઝરનેમમાં અને પાસવર્ડમાં demo લખી લોગ-ઈન થવાથી તેની કંટ્રોલ પેનલ (ડેશબોર્ડ) દેખાશે (જે વર્ડપ્રેસ ૨.૭ આધારીત છે) જેમાં નવો અવતાર કેવો હશે તે જાતે જોઈ લો!
ઓર્કુટ કોમ્યુનિટી - એક નવો વિભાગ
પ્રિય મિત્રો,
ફન-એન-ગ્યાન ટૂલબાર પર આજે એક નવો વિભાગ ઉમેરવામાં આવ્યો છે: ઓર્કુટ કોમ્યુનિટી.
ઓર્કુટ પર અમુક સારી સારી કોમ્યુનિટી સારું કામ કરે છે અને ખાસી પ્રચલિત થઈ છે. ફન-એન-ગ્યાનના વાચક મંથન ભાવસાર (ધબકાર ગ્રુપ)ના સૂચનને માન આપીને ગુજરાત/ગુજરાતીને લગતી કેટલીક કોમ્યુનિટી ફન-એન-ગ્યાન ટૂલબાર પર મુકી છે. આપને બીજી કોઈ ધ્યાનમાં હોય તો (તેમજ કોઈ ખોટી કોમ્યુનિટી મુકાઈ ગઈ હોય તો પણ) મને જણાવશો.
આવતીકાલે ગુગલ/યાહુના ગ્રુપ (સમુહ)નો વિભાગ બનાવીશ.
આશા છે આપને મારો આ પ્રયાસ પસંદ પડશે તેમજ ઉપયોગી થશે.
- વિનય ખત્રી ‘અનિમેષ’ના પ્રણામ
અશ્લીલ સાહિત્ય વાયા બ્લોગ્સ!
પ્રિય મિત્રો,
ગયા વર્ષે એપ્રિલમાં દિવ્યભાસ્કરે ગુજરાતી બ્લોગ જગત વિશે એક લેખ લખ્યો હતો ગુજરાતી સાહિત્ય વાયા બ્લોગ્સ! આજે મારે આ લેખનું મથાળું આપવું પડ્યું છે અશ્લીલ સાહિત્ય વાયા બ્લોગ્સ!
વર્ડપ્રેસ બ્લોગ્સના ગુજરાતી વિભાગમાં ગઈકાલથી એક બ્લોગ દેખાવા લાગ્યું છે જે અશ્લીલ સાહિત્યની ગુજરાતી વેબસાઈટ પર લઈ જાય છે (દેખીતા કારણોસર અહીં બ્લોગની લિન્ક નથી મૂકી).
અત્યાર સુધી અશ્લીલ બ્લોગ સ્પામમાં ફિલ્ટર થઈ જતા હતા પણ આ બ્લોગ ગુજરાતીમાં લખાયો હોવાથી સ્પામ ફિલ્ટરમાંથી બચી જવા પામ્યો છે. ગયા માર્ચ મહિનામાં ગુજરાતી ભાષાંતર કરી શકે અને ફોટોશોપમાં અંગ્રેજી લખાણની જગ્યાએ ગુજરાતી ભાષાંતર મૂકી શકે તેવા યુવાનો જોઈએ છે એવી જાહેરાત કરીને યુવાનોને અંગ્રેજી અશ્લીલ કાર્ટુનના ગુજરાતી કરણ કરવા માટે જોતરી દેવાયા છે.
આ એક અત્યંત ગંભીર વિષય છે અને ગુજરાતી બ્લોગ જગત માટે કલંક બની શકે તેમ છે તેથી આ બાબતમાં શું કરી શકાય તે માટે આપના મંતવ્ય જણાવો.
વિનંતી: અહીં કોમેન્ટમાં તે બ્લોગનું યુઆરએલ ન લખવા વિનંતી.
જોડણી ક્રિકેટ મેચ
પ્રિય મિત્રો,
કોઈ પણ બ્લોગ પર જોડણી વિષયક પોસ્ટ મુકવામાં આવે કે તરત ઊંઝાના વિરોધીઓ અને સમર્થકો પોતાની દલીલો સાથે તૂટી પડે. તેમની આ શક્તિને યોગ્ય માર્ગે વાળવા, ખેલદિલીની ભાવના વિકસાવવા તેમજ જોડણીના ઝગડાને તંદુરસ્ત અને મનોરંજક બનાવવા માટે સાર્થ-૧૧ અને ઊંઝા-૧૧ વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવે તો તે માટેના ખેલાડીઓની યાદી કેવી હોઈ શકે એવો વિચાર અજ્ઞાતભાઈ સમક્ષ મુક્યો અને તેમણે આ યાદી મોકલાવી છે જેમાં સુધારા વધારાને અવકાશ છે. આ યાદીને વ્યક્તિગત મજાક તરીકે ન લેતાં ખેલદિલી સાથે હળવાશથી લેવા વિનંતી:
જોડણી ક્રિકેટ મેચ
સાર્થ - અજ્ઞાતભાઈ (કેપ્ટન), પંચમ શુક્લ, વિવેક ટેલર, સોનલ વૈદ્ય, જયશ્રી ભક્ત, ઊર્મિસાગર, શિવાંશ, કિશોર રાવળ, ધવલ શાહ, વિશાલ મોણપરા, જશવંત ખામેચી, બાગે વફા, ચેતન ફ્રેમવાલા
(કોચ - વિજય શાહ અને ગિરીશ દેસાઈ) Read the rest of this entry »
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ!
પ્રિય મિત્રો,
રાષ્ટ્રીય શાયર આદરણીય ઝવેરચંદ મેઘાણીની આજે જન્મ જયંતી છે ત્યારે તેમને યાદ કરીએ.
ખુમારીથી ઝઝુમતી હોય જોવી ગુર્જરી વાણી
કંસુબી રંગનો એક જ કવિ છે માત્ર મેઘાણી.
- સુરેશ દલાલ
- રીડગુજરાતી પર તેમની રચનાઓ વાંચો.
- રણકાર પર તેમની રચનાઓ વાંચો/સાંભળો.
- ગુજરાતી સારસ્વત પરિચય પર તેમનો પરિચય વાંચો.
તસવીર સૌજન્ય ગુર્જરી.નેટ
સાચિ જોડણિ અઘરિ નથિ
પ્રિય મિત્રો,
સાચી જોડણી કરવા માટે પુંજાભાઈ ચખપલબના રવાડે ચડી ગયા હતા પણ હવે સાચી જોડણી ખરેખર અઘરી નથી.
પુંજાભાઈ અને ઊંઝાભાઈ આઘા ખસો, વિશાલભાઈ લાવ્યા છે સર્વ પ્રથમ ઓનલાઈન ગુજરાતી સ્પેલ ચેકર!

વિશાલભાઈ માટે આભાર શબ્દ ન ચાલે તેમના માટે તો આ પાનાં પરનાં બધાં શબ્દો બોલી જઈએ તો પણ ઓછાં પડે! Read the rest of this entry »
