Category: બ્લોગ જગત

પવિત્ર શ્રાવણ માસ પ્રારંભ

By વિનય ખત્રી, August 10, 2010 8:00 pm

પ્રિય મિત્રો,

એક વધુ લાંબા વિરામ બાદ આજે, પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે બ્લૉગ અપડૅટ કરી રહ્યો છું. સારા વરસાદ પછી પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઊઠી છે અને મહારાષ્ટ્રમાં સહ્યાદ્રીની પર્વતમાળામાં ફરવાની મજા માણવા જેવી છે. આવનારા દિવસોમાં પુણે અને આજુબાજુના વિસ્તારોમાં આવેલા ભોળાનાથના પ્રાચિન મંદિરોનો પરિચય કરવવાનો વિચાર છે.

બ્લૉગ વિશ્વના કેટલાક જાણવા જેવા સમાચાર…

  • વર્ડપ્રેસ તરફથી તાજેતરમાં એક નવો થીમ ઉમેરવામાં આવ્યો છે, કોરાલાઈન. સ્વચ્છ, સરળ અને સારો થીમ છે. જૂના અને જાણીતા થીમ ‘કટલાઈન’ની જગ્યાએ આ નવો થીમ આવ્યો છે.
  • ટહુકો.કોમ બ્લોગને શિકાગો આર્ટ સર્કલ તરફથી  ગુજરાતી સાહિત્ય અને સંગીતના સંવર્ધન માટે એવોર્ડ આપવામાં આવ્યો. લોકો હવે બ્લૉગને સિરિયસથી લેવા લાગ્યા છે એના એંધાણ વર્તાઈ રહ્યા છે.
  • વિજયભાઈ શાહના ચિંતન જગતનો પાંચમા વર્ષમાં પ્રવેશ.

બીજા સમાચારો  હવે પછી…

મેં કોઈ લખાણ ચિત્રલેખાને પ્રકાશનાર્થે મોકલ્યું નથી! – ડૉ. દિલીપ મોદી

By વિનય ખત્રી, June 15, 2010 7:00 am

ઈન્ટરનેટ પર ફરતી ટિપ્સ ટુ લાઈફનો મેં કરેલો ગુજરાતી અનુવાદ જીવન જીવવાની જડીબુટ્ટીઓ આ અઠવાડિયાની ચિત્રલેખાની લોકપ્રિય કૉલમ મુખવાસમાં ચિરયુવાનીની ૧૯ ચાવી મથાળા હેઠળ અને સુરતના ડૉ. દિલીપ મોદીના નામે પ્રસિદ્ધ થઈ છે. આ બાબત મેં મારા બ્લોગ પર મૂકી તેની પ્રતિક્રીયા રૂપે વાંચો ડૉ. દિલીપ મોદીનો પ્રત્ર:

પ્રિય વિનયભાઈ,

સવિનય નમસ્તે!

ચિત્રલેખા-મુખવાસમાં પ્રગટ થયેલ લખાણ મારું પોતાનું નથી, પરંતુ સાથે સાથે મેં કોઈ ઉઠાંતરી પણ કરી નથી. સત્ય પ્રતિ તમે પ્રકાશ ફેંક્યો તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. છતાં મને અંગતપણે જણાવીને સ્પષ્ટતા કરવાનો એક માત્ર મોકો તમે આપ્યો હોત તો… સારું થાત. તમે તો આખેઆખી વાતનું વતેસર કરીને સીધેસીધી તમારા બ્લોગ પર મૂકી દીધી. પરિણામે હું વાચકોની ટીકાનો-રોષનો બિનજરૂરી ભોગ બન્યો. આમ મારી થયેલી અયોગ્ય માનહાનિ થકી હું અત્યંત વ્યથિત છું!

કોઈ પણ વ્યક્તિની પ્રતિષ્ઠાને આંચ આવે, ખોટી રીતે ઉછાળેલા કાદવથી પોતાની છબી ખરડાય એવું નહિ જ ઈચ્છે, તે સ્વાભાવિક છે. હું પણ નહિ. હું સુરતમાં એક સિનિયર કવિ-ગઝલકાર-લેખક-તબીબ છું. હું મોટે ભાગે પદ્યમાં કામ કરતો આવ્યો છું. સિવાય કે ગદ્યમાં થોડાક નિબંધો કે લેખો મેં લખ્યા છે. ગુજરાતી સાહિત્યમાં આઠમા દાયકાના ગઝલકાર તરીકે મારી નોંધપાત્ર ગણના થાય છે. મારા લગભગ 8-10 પુસ્તકો/કાવ્ય-ગઝલસંગ્રહો પ્રસિધ્ધ થઈ ચૂક્યાં છે. આજ દિન પર્યંત મેં બહુ લખ્યું, બહુ છપાયું એટલે પ્રસિધ્ધિનો મને હવે મોહ રહ્યો નથી. વર્ષોથી પ્રામાણિકપણે-નિષ્ઠાપૂર્વક સર્જન કરતો રહ્યો છું. મારી મેડિકલ પ્રેક્ટિસને 33 વર્ષો પૂરાં થયાં છે. એક ડૉકટર તરીકે સંપૂર્ણ ethically (કોઈ કટકી-કમિશન વગર બિલકુલ ઈમાનદારીથી) કામ કર્યું છે તેનો મને સવિશેષ આનંદ અને સંતોષ છે. મારી પોતાની પ્રતિભા (ઈમેજ) વિશે તમને ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તે રીતે તપાસ કરાવવાનો મારો ખુલ્લો પડકાર છે. Continue reading 'મેં કોઈ લખાણ ચિત્રલેખાને પ્રકાશનાર્થે મોકલ્યું નથી! – ડૉ. દિલીપ મોદી'»

ચિરયુવાનીની ૧૯ ચાવી – મુખવાસ

By વિનય ખત્રી, June 12, 2010 7:00 am

પ્રિય મિત્રો,

ચિત્રલેખાની લોકપ્રિય કૉલમ મુખવાસમાં આજે ચિરયુવાનીની ૧૯ ચાવી પ્રસિદ્ધ થઈ છે, ચાલો મમળાવીએ…

Continue reading 'ચિરયુવાનીની ૧૯ ચાવી – મુખવાસ'»

વર્ડપ્રેસ તરફથી બીજા બે થીમ!

By વિનય ખત્રી, June 10, 2010 7:00 am

પ્રિય મિત્રો,

વર્ડપ્રેસ તરફથી બીજા બે થીમ ઉમેરવામાં આવ્યા છે…

૧) ગ્રેઝ્ડ! (૩જી જુન)

વધુ વિગતો માટે અહીં ક્લિક કરો! Continue reading 'વર્ડપ્રેસ તરફથી બીજા બે થીમ!'»

વર્ડપ્રેસ તરફથી વધુ ત્રણ નવા થીમ…

By વિનય ખત્રી, May 28, 2010 7:00 am

પ્રિય મિત્રો,

વર્ડપ્રેસ તરફથી વધુ ત્રણ નવા થીમ ઉમેરવામાં આવ્યા છે.

૧) એન્ટરપ્રાઈઝ (૧૩ મે)

સ્વચ્છ સુંદર અને મોટી કંપનીની વેબસાઈટ જેવા દેખાવ સાથે અને ડ્રોપ ડાઉન મેનુની સગવડ સાથેનો થીમ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો. Continue reading 'વર્ડપ્રેસ તરફથી વધુ ત્રણ નવા થીમ…'»

પ્રેરણા, પ્લેજરિઝમ અને કૉપી-પેસ્ટ

પ્રિય મિત્રો,

લેખની શરૂઆત એક ઉગતા નવોદિત કવિની  ’સ્વરચિત’ રચનાના એક શેરથી કરીએ તો?

શું જાણે મારા દિલને શું થયું?
હજી તો અહીં એ હતું ક્યાં ગયું?

શેર જોઈને વાહ! તો કહ્યું અને પછી છંદમેળ બરાબર છે કે નહીં તે ચકાશી લેવાનું કહેતો હતો ત્યાં જ બત્તી થઈ! મેં પૂછ્યું તમે યશરાજ ચોપરાની ફિલ્મો જુઓ છો? હા, કવિ ઉવાચ, દિલવાલે દુલ્હનિયા જોઈ’તી? ૩૦ વખત, કવિ બોલ્યા! મેં કહ્યું આને સ્વરચિત કવિતા ન કહેવાય આને પ્લેજરિઝમ કહેવાય! પ્લેજરીઝમ એટલે બીજાના વિચારને પોતાના નામે રજૂ કરવા તે. સાદી ભાષામાં કહીએ તો ચોરી, ઉઠાંતરી, તફડંચી. બ્લૉગ જગતમાં આ સમસ્યા બહુ જ વ્યાપક છે.

બીજો મુદ્દો છે તે લખાણ કૉપી-પેસ્ટનો. કોઈએ મહેનત કરીને લેખ શોધીને તેને ટાઈપ કરી, ભૂલો સુધારી બ્લૉગ પર મૂક્યું હોય અને બીજો બ્લૉગર એ રચના કૉપી કરી પોતાના બ્લૉગ પર મૂકી દે! લખાણ માટે સૌજન્ય ન દાખવે. આ સમસ્યા પણ એટલી જ વ્યાપક છે.

ત્રીજો મુદ્દો છે પ્રેરણાનો. કોઈની રચનામાંથી પ્રેરણા લઈને એક નવી મૌલિક રચના બનાવવામાં આવી હોય. રચનાની શરૂઆતમાં જ મૂળ રચનાનો ઉલ્લેખ કર્યો હોવો જોઈએ નહીં તો તે રચના પ્લેજરિઝમમાં ગણાઈ જવાનો ડર રહે! દા.ત. ગિરિજા માથુરની જાણીતી રચના ‘હમ હોંગે કામયાબ’ એ  ’વી શેલ ઓવર કમ’માંથી પ્રરણા લઈને લખવામાં આવી છે.

હવે આ ત્રણેય મુદ્દાનો સંગમ આજે મારા ધ્યાનમાં આવ્યો છે. ઈન્ટરનેટ પર ઘણાં સમયથી ફરતો મૂળ અંગ્રેજી સંવાદ ચૅટિંગ વીથ ગોડમાંથી પ્રેરણા લઈ ગોવિંદભાઈ શાહએ એક લેખ લખ્યો, ઈશ્વર સાથે ઑનલાઈન અને તે રીડગુજરાતી પર ૨૧ ફેબ્રુઆરીએ પ્રસિદ્ધ થયો. લેખની શરૂઆતમાં જ પ્રેરણા બાબત યોગ્ય સ્પષ્ટતા કરવામાં આવી છે. આમ ગોવિંદભાઈએ પ્રામાણિકતાથી પોતાના વિચારો રજુ કર્યા છે.

પહેલી એપ્રિલના આ જ લેખ કેતન દવેના નામે દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયો. આ જુઓ તેનો સ્ક્રિન શૉટ: Continue reading 'પ્રેરણા, પ્લેજરિઝમ અને કૉપી-પેસ્ટ'»

વર્ડપ્રેસ તરફથી બે નવા થીમ

પ્રિય મિત્રો,

વર્ડપ્રેસ સતત પોતાને અપડેટેડ રાખે છે. તાજેતરમાં બીજા બે નવા થીમ ઉમેર્યા છે.

૧. વોસ્ટોક (Vostok)

Continue reading 'વર્ડપ્રેસ તરફથી બે નવા થીમ'»

નિંગ ગ્રૂપ – એક સારા કે ખરાબ સમાચાર

પ્રિય મિત્રો,

ગઈકાલે મારા ઈનબોક્ષમાં એક મેસેજ દેખાયો, નિંગ ગ્રૂપ મફત સેવા બંધ કરે છે!

નિંગની ગ્રૂપ બનાવવાની મજાની સગવડ વિશે ’તમે પણ બનાવો તમારો નિંગ ગ્રૂપ’ લેખ લખવાની તૈયારીઓ ચાલતી હતી. Continue reading 'નિંગ ગ્રૂપ – એક સારા કે ખરાબ સમાચાર'»

વર્ડપ્રેસ તરફથી ઉમેરાયેલી સુવિધાઓ

By વિનય ખત્રી, April 30, 2010 7:00 am

પ્રિય મિત્રો,

દર બીજા દિવસે વર્ડપ્રેસ તરફથી કંઈને કંઇ નવું કર્યાની જાહેરાત હોય જ છે. ચાલો જોઈએ છેલ્લા કેટલાક દિવસોમાં વર્ડપ્રેસ તરફથી કરાયેલી મહત્વની જાહેરાતો વિશે…

૧) ફોટો બ્લૉગ માટે એક મસ્તમજાનો નવો થીમ ‘આઈન્યુઈટ ટાઈપ્સ‘ ઉમેરાયો. સફેદ અને કાળા એમ બેઉ પ્રકારના બેકગ્રાઉન્ડ વાળા આ થીમમાં ફોટાઓ સરસ રીતે શોભે છે. વિશેષ (ફીચર્ડ) પોસ્ટને હાઈલાઈટ કરી શકાય છે. ડ્રોપડાઉન મેનુની સગવડ છે. પોસ્ટની ઉપર ટેક્ષ્ટ ‘વિજેટ’ મૂકીને અગત્યની જાહેરાત  કે એવું લખાણ મૂકી શકાય છે.

૨) ‘સરપ્રાઈઝ મી‘ સુવિધા ઉમેરવામાં આવી. તમારા બ્લોગના ડેશબોર્ડમાં જઈને પર્સનલ સેટીંગના પાના પર જુઓ ‘સરપ્રાઈઝ મી’ લખેલું હશે, તેને ‘ટીક’ કરો અને પછી અમને જણાવો કે વર્ડપ્રેસે તમને કેવી રીતે આશ્ચર્ય ચકિત કર્યા?

૩) નવો થીમ અંડર ધ ઈન્ફ્લુઅન્સ. વિવિધ વિકલ્પો સાથેનો નવો થીમ અલગ તરી આવે છે. આ થીમમાં અલગ અલગરીતે મથાળા દર્શાવી શકાય છે. સ્થંભ (કૉલમ)ની પહોળાઈ અલગ અલગ રાખી શકાય છે. વગેરે ઘણાં સેટિંગ ધરાવતો અને બ્લોગને મૌલિક દેખાવ અપાવતો થીમ છે.

૪) નવો થીમ ટ્વેન્ટી ટેન. આ થીમ વર્ડપ્રેસ પર નવા બનતા બ્લૉગ માટે ડિફોલ્ટ (પહેલેથી) થીમ છે. સરળ, દેખાવડો અને સુવિધાઓવાળો થીમ છે. જેમાં હેડર (મથાળું) માએનું ચિત્ર તેમજ બેકગ્રાઉન્ડનો રંગ મનગમતી રીતે બદલાવી શકાય છે. ડ્રોપડાઉન મેનુની સગવડ સાથે સરળ અને સ્વચ્છ થીમ છે.

૫) નવો થીમ સ્ટ્રકચર. એક કરતાં વધારે સ્તંભ (કૉલમ) વાળો આ થીમ માળખાગત સુવિધાઓ અને પોતાની પસંદગી પ્રમાણેની સેટિંગ કરી શકાય તેવી સુવિધાવાળો છે.

૬) જોય વિક્ટ્રી એ બ્લૉગ વિશેની પાંચ ટિપ્સ આપી છે. Continue reading 'વર્ડપ્રેસ તરફથી ઉમેરાયેલી સુવિધાઓ'»

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.