પ્રિય મિત્રો,

આજે આપણે ચંદ્રકાંત બક્ષી સાહેબનો ગુજરાતી જીવશે કે કેમ એ વિશેનો લેખ વાયા દિવ્ય ભાસ્કર માણીશું.

જો તમે હિન્દી અને મરાઠી જાણતા હો તો તમે વિનાયાસ તમારી માતૃભાષા, કુટુંબભાષા, સ્વજનભાષા, વડીલભાષા ગુજરાતી સમજી શકો છો અને ગુજરાતીમાં સમજાવી શકો છો.

મુંબઇ મહાનગરમાં વાલકેશ્વર અને નેપિયન સી રોડ અને કફ પરેડ અને વોર્ડન રોડમાં ગુજરાતીઓની એવી જાતિઓ રહે છે, જેમને ચિંતા છે કે એમનાં ફરજંદોને એમણે અંગ્રેજી માઘ્યમની સ્કૂલોમાં મોકલ્યાં છે એટલે ગુજરાતી ભાષા મરી જશે. આવતી પેઢીઓ અંગ્રેજી જ બોલબોલ કરશે, ગુજરાતી ભાષાનું કોઇ ભવિષ્ય નથી. મુંબઇમાં ગુજરાતી ભૂંસાઇ જશે, નામશેષ થઇ જશે. થોડું તથ્ય હશે આ તર્કમાં, અંગ્રેજી માઘ્યમનું આકર્ષણ છે, નવી પેઢીને ગુજરાતી બોલતાં પણ ફાવતું નથી પણ મુંબઇ શહેરમાં જ કાંદિવલી અને મુલુંડ અને ભાયંદર અને વડાલા અને ઘાટકોપરમાં પણ ગુજરાતીઓની એવી જાતિઓ રહે છે, જેમનાં ફરજંદો અંગ્રેજી માઘ્યમની સ્કૂલોમાં જાય છે પણ એ ગુજરાતી લખી શકે છે, બોલી શકે છે, વાંચી શકે છે અને ગુજરાત નામનો એક દેશ છે જ્યાંના લોકો ગુજરાતી જાણે છે, કેટલાક જાણવાનો પ્રયત્ન કરે છે. મુંબઇના ગુજરાતીઓનો પ્રશ્ન છે: મુંબઇના ગુજરાતીઓ અંગ્રેજીવાળા થઇ જશે, અને ગુજરાતી મરી જશે?

આગળ વાંચવા માટે અહીં ક્લિક કરો.

ક્લોઝ અપ

બહુ સ્વચ્છ પાણીમાં માછલીઓ થતી નથી, બહુ સખ્ત શિક્ષકને વિદ્યાર્થીઓ મળતા નથી.

- ચીનના સુંગ કાળની કહેવત

 

પ્રિય મિત્રો,

ઘણાં મિત્રો પૂછતા હોય છે કે કોણે ક્યાંથી કેટલી ઉઠાંતરી કરી છે તે કેવી રીતે ખબર પડે? જવાબમાં કહેવાનું કે આવી ખબર પડવા માટે સૌ પ્રથમ બહોળું વાંચન હોવું જરૂરી છે. વાંચ્યું હોય એટલે જ તો શંકા જાય કે આવું ક્યાંક વાંચ્યું છે! પછી આવે ગૂગલ સર્ચ.  પછી આવે http://www.textdiff.com

આ ટેક્ષ્ટડિફ.કોમ સાઈટ બે લખાણની વચ્ચે કેટલો ફરક છે તે દર્શાવે છે. દા.ત. ગઈ કાલની પોસ્ટની વાત કરીએ તો બંને વાર્તામાં કેટલો ફરક છે તે અહીં નીચે જોઈ શકાય છે. લીલા રંગનું લખાણ દિવ્ય ભાસ્કરનું છે, લાલ રંગનું લખાણ અન્યનું છે અને કાળા રંગનું લખાણ બંનેમાં સામાન્ય છે.

થોડા સમય પહેલાં કોઇએ ત્રણ કોલેજીયનનીઇ-મેઇલમાં પાંચ દેડકાંની વાર્તા કહેલી.મળેલી. વાર્તા કંઇક આવી હતી: એક વાર ત્રણે કોલેજીયનેપાંચ દેડકાંઓએ નક્કી કર્યું કે આપણે ત્રણપાંચેય વચ્ચે હરીફાઇ કરીએ. કોલેજ ક્વીન જ્યોત્ના ગોસળીયા ને પહેલા પટાવી તેની સાથે કોલેજ કેન્ટીન કોફી પીવેસામે જે ઊંચો પર્વત દેખાય છે, તેના ઉપર દોડીને જે સૌથી પહેલો ચડી જાય તે વિજેતા. બીજા દિવસે સવારે હરીફાઇ શરૂ કરવાનું નક્કી થયું.કોલેજનાજંગલનાં બીજા બધા છોકરા છોકરીપ્રાણીઓ પણ બીજા દિવસે સવારે હરીફાઈ જોવા માટે કુતૂહલવશ હાજર થઇ ગયા.

એકે આંખસસલાએ સીટી મારી અને હરીફાઇદોડ થઇ ગઇ શરૂ. ત્રણે કોલેજીયન સ્ટાઇલપાંચેય દેડકાં કૂદકા મારતાં આગળ વધવા લાગ્યા. પ્રિન્સીપાલ , પ્રોફેસરશિયાળ, હાથી, સિંહ અને બીજા બધાં કેમીકલ -ફીજીકલ લેબ સ્ટાફનેપ્રાણીઓને આ તમાશો જોઇને હસવું આવી રહ્યું હતું. અન્યકોલેજીયનનુપ્રાણીઓનું ટોળું એમની પાછળ અને આસપાસ દોડી રહ્યું હતું. ત્રણે કોલેજીયનો નેસૌ દેડકાંને કહી રહ્યાં હતાં કે ‘ દિલતો બચ્ચા હૈ ,‘તમે તો દેડકાંઓ છો, તમે જ્યોત્નાનેઆટલા ઊંચા પર્વત ઉપર કેવી રીતે પટાવીચડી શકશો?’ છતાં ત્રણે સ્ટાઇલ મારતાદેડકાંઓ દોડતાં રહ્યા. ફરી પાછું કોઇ બોલ્યું, ‘રહેવા દો આ સ્ટા ઇ લ મારવાનુ .. થાકીદોડવાનું… મરી જશો…’ એકૉલેજીયનએક દેડકો થાકીને અટકી ગયો.

ફરીથી કોઇનો અવાજ આવ્યો, ‘હાં, હવે બરાબર- જો આ એક કોલેજીઅનદેડકો સમજી ગયો એટલે બિચારો બચી ગયો. તમે પણ અટકી જાઓ…’થોડીઆટલો ઊંચો પર્વત ન ચડી શકાય.’થોડી વારમાં બીજો પણબીજા બે દેડકાં અટકી ગ્યો.ગયા. ફરી પાછા અવાજ આવવા લાગ્યા, ‘અલ્યા પાગલ થઇ ગયા છો કે શું? હવે તો અટકો, નહીંતર ચ્ંપલ પડશેશ્ચાસ ચડશે તો બદનામ થૈ જશો પેટ ફાટી જશે.’ મહામહેનતે પર્વત ચડી રહેલા બેમાંથી એક દેડકો હાંફીને ત્યાં જ મરી ગયો.

છેલ્લો કોલેજીઅનદેડકો હજુ જ્યોત્ના પાછળ જતોપર્વત ચડી રહ્યો હતો. બધાએપ્રાણીઓએ કહ્યું, ‘હજુ સમજી જા, પાછો વળી જા.’ કોલેજીઅન આગળ વધતોદેડકો ચડતો રહ્યો. કોઇએ કહ્યું ‘ જ્યોત્સ્ના ને‘ટોચ ઉપર ન જીતીપહોંચી શકાય, તારા દોસ્તની જેમ તું પણ હાંફીમરી જઇશ, અટકી જા.’ છતાંતેદેડકો પર્વતની ટોચ તરફ આગળ વધતો રહ્યો. બધાએપ્રાણીઓએ કહ્યું ‘ આપણી કોલેજમા કોઇએ આવી હિંમત‘તમારી સાત પેઢીમાં કોઇ આટલું ઊંચે નથી કરી…’ ત્રીજોપહોંચી શક્યું…’ દેડકો છતાંયે જ્યોત્નાને પટાવતોચડતો રહ્યો. બધાએપ્રાણીઓએ મજાક શરૂ કરી, ‘હમણાં ચંપલ ખાશે!’મરી જશે!’ ‘હમણાં થપાટ ખાશે!’ નીચે પડશે!’

પણ દેડકો ચડતો રહ્યો અને આખરે કોલેજ કેન્ટીન મા જ્યોત્સ્ના સાથે કોફી પીવા બેસી ગયો .પર્વતની ટોચ ઉપર પહોંચી ગયો. બધાકોલેજીઅનપ્રાણીઓ ચૂપ થઇ ગયા. કોલેજમાજંગલમાં હાહાકાર થઇ ગયો. એક કોલેજીઅન જ્યોત્સનાના દિલ સુધીનાનકડો દેડકો પર્વતની ટોચ ઉપરપહોંચી ગયો! પ્રિન્સિપાલે જ્યારે વિજેતાને અભિન્ંદન આપ્યાસૌએ દેડકાનું મેડિકલ ચેક અપ કરાવ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે તેદેડકો તો બહેરો છે!

આ વાર્તા પરથી કાને અથડાતા શબ્દોની શક્તિનો ખ્યાલ આવે છે. વિજેતાનેદેડકાને ખબર જ નહતી કે તેનેમને કોઇ રોકી રહ્યું છે. એને નાસીપાસ કરે એવા શબ્દો એને સંભળાયા જ નહોતા. માટે એના ઉપર વિચાર કરવાનો સવાલ ન હતો. એટલે જ એનો ડર ન હતો અને એટલા માટે જજ્યોત્સ્ના સુધીટોચે પહોંચી શકાયું. વિજેતાનુંદેડકાનું નેગેટિવ પ્રોગ્રામિંગ કરવાના જાણ્યે અજાણ્યે થયેલા તમામ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા, કારણ કેતેદેડકો બહેરો હતો.

શક્ય છે કે તમને પણ લોકોના અવાજો સંભળાય, કે ‘હમાણાં મંદી છે, સાહસ ન કર,’ ‘તારાથી બિઝનેસ ન થઇ શકે,’ ‘છોડ, એ તારું કામ નથી- તને નહીં ફાવે’, ‘આપણી સાત પેઢીમાં કોઇએ આવું રસ્કિ નથી લીધું’ વગેરે. તો શું કરશો એ વખતે? આપણે તો બહેરા નથી! અને સંભળાય છે માટે અસર પણ કરે છે.. તો શું કરવું? એનો ઉપાય છે, ‘અવેરનેસ’ એટલે કે જાગ્રતતા. ‘હું શું સાંભળી રહ્યો છું.’ એના પર સતત ધ્યાન રાખશો એટલે વણજોઇતા તમામ શબ્દોને પકડી શકશો. જેવા એ શબ્દો પકડાય એટલે મનમાં. એક રટણ ચાલુ કરો કે, ‘વિજેતા‘દેડકો તો બહેરો છે..’ તમને એ શબ્દો સંભળાતા હોવા છતાં તમને એ અસર કરી નહીં શકે… બસ, કાનમાં ‘અવેરનેસ’ નામનું ફલ્ટિર નંખાવી દો.‘

આમ, જોઈ શકાય છે કે દેડકાની જગ્યાએ કોલેજીયનને મૂકીને એક ‘નવી’ ‘મૌલિક’ વાર્તા બનાવવામાં આવી છે!

આવી જ રીતે ભૂતકાળમાં એક બ્લોગરે બ્લૉગ જગત અને નેગેટિવિટી વિશેનો લેખ ગુજરાત સમાચારમાં રજુ થયેલા સ્વામી મુનીન્દ્રના વિચારો ઉમેરીને પોતાના નામે લખ્યો હતો, તેવી જ રીતે એક નવા બ્લોગરનો સ્ત્રી વિશેનો લેખ કલ્પેશભાઈ સોનીના વિચારો ઉમેરીને લખવામાં આવ્યો છે.

લેખમાં બીજાના વિચારો નામ સહિત ટાંકી શકાય જ છે ત્યારે તેઓ આવું શા માટે કરતા હશે તે મારા માટે કોયડો છે.

કોલેજીયનવાળી વાર્તાને વાર્તા સ્પર્ધાના નિર્ણાયક તરીકે મારે મૌલિકતાના માર્કસ આપવા હોય તો હું શૂન્ય માર્ક આપું. એટલું જ નહીં રાજીવ ભાલાણી જેમણે આ વાર્તા દિવ્ય ભાસ્કર માટે લખી છે તેમને પણ મૌલિકતાના શૂન્ય માર્ક મળે. કારણ કે તેમણે ઈન્ટરનેટ પર ફરતી એક જાણીતી વાર્તાને ગુજરાતીમાં રજુ કરી છે. આ વાત તેમણે પ્રામાણિકતાથી વાર્તાની શરૂઆતમાં જ જણાવી દીધી છે જ્યારે કોલેજીયનની વાર્તામાં આ જ વસ્તુ ખૂટે છે.

 

પ્રિય મિત્રો,

આજે પોસ્ટનું મથાળું વાંચીને તમે વિચારમાં પડી ગયા હશો કે વિનયભાઈ ખરેખર શું કહેવા માગે છે? જાણવા માગો છો તો વાંચો થોડા સમય પહેલા એક નિંગગ્રૂપમાં રજુ થયેલી આ વાર્તાનો સ્ક્રિન શૉટ: (સૌજન્ય: ગુજરાતી.નુ)

હવે, આ વાંચો:

થોડા સમય પહેલાં ઇ-મેઇલમાં પાંચ દેડકાંની વાર્તા મળેલી. વાર્તા કંઇક આવી હતી: એક વાર પાંચ દેડકાંઓએ નક્કી કર્યું કે આપણે પાંચેય વચ્ચે હરીફાઇ કરીએ. સામે જે ઊંચો પર્વત દેખાય છે, તેના ઉપર દોડીને જે સૌથી પહેલો ચડી જાય તે વિજેતા. બીજા દિવસે સવારે હરીફાઇ શરૂ કરવાનું નક્કી થયું. જંગલનાં બીજા બધા પ્રાણીઓ પણ બીજા દિવસે સવારે હરીફાઈ જોવા માટે કુતૂહલવશ હાજર થઇ ગયા.

આગળ વાંચવા માટે દિવ્ય ભાસ્કરની વેબસાઈટની મુલાકાત લો: કાને અથડાતા શબ્દો – રાજીવ ભાલાણી

કોલેજીયન વાળી વાર્તા વાંચી ત્યારે મને લાગ્યું કે ક્યાંક વાંચેલી છે પછી વાર્તાનો એક વાક્ય ગૂગલમાં મૂકીને ગૂગલ પર શોધ કરી તો દિવ્ય ભાસ્કરમાં આ વાર્તા પ્રસિદ્ધ થઈ હતી તે જાણવા મળ્યું. પહેલી વાર્તા કોની છે તે જાણી જોઈને જણાવતો નથી કારણ કે આ લેખનો હાર્દ કોઈ વ્યક્તિ નહીં પણ ક્રિયા છે. દેડકાની જગ્યાએ કોલેજીયન મૂકીને આખી વાર્તા જેમની તેમ મૂકવામાં આવી છે. દિવ્ય ભાસ્કરની ભયંકર જોડણી ભૂલો  (દા.ત. રક્સિ, સાચો શબ્દ, રીસ્ક) પણ જેમની તેમ રહેવા દેવામાં આવી છે!

આમ, આ વાર્તામાં દિવ્ય ભાસ્કરના લખાણનું કૉપી-પેસ્ટ, રાજીવ ભાલાણીના વિચારની ઉઠાંતરી (પ્લેજરીઝમ) અને વાર્તાના પાત્ર દેડકાની જગ્યાએ કોલેજિયન મૂકીને ફરીથી લખનારની મૌલિકતા (ક્રિએટિવિટી)નો અ‌દ્‍ભુત સંગમ જોવા મળ્યો એટલે આ લેખનું આવું વિરોધાભાષી શિર્ષક મૂકવું પડ્યું.

તમે કોઈ વાર્તા સ્પર્ધાના નિર્ણાયક હો અને તમારી સામે આવી વાર્તા આવે તો તમે મૌલિકતાના (દસમાંથી) કેટલા ગુણ આપશો?

આપના વિચાર/મંતવ્ય/ટીકા/ફરિયાદ/સૂચન જણાવવા માટે કૉમેન્ટ બોક્ષ ખુલ્લું જ છે પણ મારા પ્રશ્નનો જવાબ અચૂક આપજો.

મારો જવાબ અત્યારે કૉમેન્ટમાં લખીને રાખ્યો છે, સોમવારે અપ્રુવ કરીશ. સોમવારે આપણે આવા બીજા ઉદાહરણો પણ જોઇશું.

અપડેટ: કેટલાક મિત્રોની વિનંતીને માન આપી આખી વાર્તાનો સ્ક્રિન શૉટ અહીં મૂક્યો છે.

 

પ્રિય મિત્રો,

ગુજરાતી ફિલ્મોનો સુવર્ણકાળ ચાલતો હતો ત્યારે એક ફિલ્મ આવી હતી, કોઈનું મિંઢળ કોઈના હાથે! આવું જ કંઈક થઈ રહ્યું છે સાહિત્યકારોની રચનાઓ સાથે!

આજે ઘનશ્યામભાઈ ઠક્કરે પોતાના બ્લૉગ પર એક પોસ્ટ મૂકીને ફરિયાદ કરી છે કે કોરલ શાહ નામની બ્લૉગરે તેમની રચનાને અખા ભગતની રચના તરીકે રજુ કરી છે (જુઓ નીચેનો સ્ક્રિન શોટ)! રચનાને બ્લૉગ પર પ્રસિદ્ધ કરવા માટેની પરવાનગી લીધી નથી કે જાણ કરી નથી. રચનાની નીચે તેમનું નામ લખ્યું નથી કે તેમના બ્લોગની લિન્ક આપી નથી.

મિત્રો, આવું આ પહેલી વખત નથી થયું, આ કૉપીકેટ બ્લોગરોને પોસ્ટ મૂકવાની બહુ જ ઉતાવળ હોય છે અને તેમની પાસે પોસ્ટમાં જે લખાણ મૂકવાનું હોય છે તે વાંચવાનો સમય હોતો નથી (અને તેઓ જરૂરી સમજતા પણ નથી કારણ કે બ્લોગ તેમના વાચક મિત્રો માટે હોય છે, તેમના પોતાના માટે નહીં!) રચના પ્રસિદ્ધ કરતાં પહેલા પરવાનગી લેવાની વાત તો દૂર પણ પ્રસિદ્ધ કરીને જાણ કરવાની તસ્દી લેતા નથી, રચનાની નીચે રચનાકારનું નામ ન લખીને રચના પોતાની છે એવો ભ્રમ ઊભો કરવાની બદમાશી કરતા હોય છે. કૉમેન્ટ કરનાર રચનાબ્લોગરની પોતાની લખેલી છે એવા મતલબની કૉમેન્ટ કરે તો પોતે લેખક નથી એવી ચોખવટ કરવાને બદલે આભાર વ્યક્ત કરતા જોવા મળે છે! લિન્ક આપવાનું ટાળતા જોવા મળે છે કારણ કે લિન્ક આપે તો તેમની નકલ ખુલ્લી પડી જાય!

ઉપરનું ઉદાહરણ જોયા પછી આપણે બીજા કેટલાક ઉદાહરણ જોઇએ…

૧) ત્રણ-ચાર મહિના ભરપુર કૉપી-પેસ્ટ કરીને પોતાના બ્લૉગની ઈમેજ ખરાબ કરનાર એક બ્લોગર મિત્રે રમેશ ગુપ્તાની રચના કવિ નર્મદના નામે પ્રસિદ્ધ કરી છે!

રમેશ ગુપ્તાની રચના = http://www.mavjibhai.com/MadhurGeeto/yashgatha.htm

કવિ નર્મદના નામે! = http://rupen007.wordpress.com/2010/01/19/

૩) પોતાને ડૉ. શરદ ઠાકરનો હાર્ડકોર ફેન ગણાવતા એક બ્લોગર મિત્રે પોતાના બ્લોગની શરૂઆત ડૉકટર સાહેબની નવલિકાઓ કૉપી-પેસ્ટ કરીને કરી હતી અને કૉપી-પેસ્ટ કરવાની લ્હાયમાં રાઘવજી માધડની વાર્તાને ડૉ. શરદ ઠાકરની નવલિકા તરીકે રજુ કરી છે!

રાઘવજી માધડની વાર્તા (દિવ્ય ભાસ્કર) = http://www.divyabhaskar.co.in/article/

ડૉ. શરદ ઠાકરની નવલિકા તરીકે = http://natkhatsoham.wordpress.com/2010/05/01/

રાઘવજી માધડનો બ્લૉગ = http://raghavaji.blogspot.com

૪) નીચેની રચના વિશે ખાંખાખોળા કરશો તો અમુક બ્લોગ પર બકુલેશ દેસાઈના નામે પ્રસિદ્ધ થઈ હશે તો અમુક બ્લૉગ પર શિલ્પીન થાનકીના નામે વાંચવા મળશે! એવું કેમ બની શકે? એક જ રચના બે કવિઓની કેવી રીતે હોઈ શકે?

સહુ કહે છે: ‘મંદિરે ઈશ્વર નથી’,
હું કહું છું: ‘ત્યાં ફ્ક્ત પથ્થર નથી’.

બકુલેશ દેસાઈના નામે મૂકનાર બ્લૉગની યાદી

શિલ્પીન થાનકીના નામે મૂકનાર બ્લૉગની યાદી

એક બ્લોગરે વર્ષો પહેલા ભૂલથી બકુલેશ દેસાઈના નામે મૂકી હતી પછી તેમણે ભૂલ સુધારી પણ લીધી પણ જૂના બ્લોગ પર એ ભૂલ એમ જ રહી જવા પામી અને જૂના બ્લોગ પરથી રચના કૉપી કરનાર કૉપીકેટ બ્લોગરના બ્લોગ પર હજીય બકુલેશ દેસાઈના નામે આ રચના વાંચવા મળે છે જ્યારે ખરેખર આ રચના શિલ્પીન થાનકીની છે!

ઉદાહરણ માટે આટલી રચનાઓ પૂરતી છે, બાકી ગણાવા બેસીએ તો અંત આવે તેમ નથી. શું તમારી રચના કોઈ બીજા નામે રજુ થાય તો તમને ગમે?

 

પ્રિય મિત્રો,

કૉપી-પેસ્ટ પરથી થોડા સમય પહેલા મને એક વાર્તાનો ‘પ્લૉટ‘ સૂજ્યો હતો અને કૉમેન્ટમાં લખ્યો હતો, આજે ફરી એવું થયું છે!

વાર્તાનો પ્લૉટ આમ છે:

બાપ-દિકરીનું નાનું કુટુંબ… મા બાળકીને જન્મ આપીને ગુજરી ગઈ હોય છે… બાપ દિકરીને ઉછેરીને મોટી કરે છે. અંગ્રેજી માધ્યમમાં ભણતી દીકરી માતૃભાષાથી વિમુખ ન થઈ જાય તે માટે બાપ ગુજરાતી બ્લૉગ/વેબસાઈટ પરથી કવિતા વાંચીને દિકરીને સંભળાવે છે… એક દિવસ શહેરમાં આતંકવાદીઓનો  હુમલો… બાપ દિકરી અલગ… વર્ષો સુધી એકલા રહ્યા પછી એક જગ્યાએ બાપ દિકરી મળે છે… એક બીજાને ઓળખી શકતા નથી… દિકરીના લગ્ન થઈ ગયા હોય છે અને તેને એક દિકરી હોય છે… દિકરી પણ એન દિકરીને ગુજરાતી કવિતા ‘આઢડાને ધક્કો મારી નવડો કહેતો ખસ‘ ગાઈને સંભળાવતી હોય છે… બાપ સાંભળી જાય છે… વર્ષો પહેલા બ્લૉગરે કરેલી ટાઈપભૂલને કારણે બાપ-દિકરીનો મેળાપ. ખાધું પીધુંને રાજ કર્યું!

ટાઈપ ભૂલ એક સામાન્ય વાત છે પણ એક ટાઈપભૂલને કારણે બાપ-દિકરીનો મેળાપ થાય છે તે બહુ જ સારી વાત છે. આ પ્લૉટ પરથી એક સરસ મજાની ગુજરાતી ફિલ્મ પણ બની શકે છે એ પણ એટલી જ સારી વાત છે પણ… કૉપી-પેસ્ટ સારી વાત નથી, નથી, નથી જ!

મૂળ વાત પર આવું તો, હમણાં એક બ્લોગ પર મેં વાસી અબ્બાસ અબ્દુલ અલી એટલે કે આપણાં મરીઝ સાહેબની રચના વાંચી:

તે વેળા માન તારી મહત્તા બધી ગઈ,
જ્યારે તને કશું ય સતવી નહીં શકે.

રચનાની ઉપરની પંક્તિઓ વાંચતાં થયું કે આમાં કંઈક ગરબડ છે, પ્રાસ મળતો નથી. સતવી શબ્દ ભગવદ્‍ગોમંડળમાં પણ મળ્યો નહીં! થોડું વિચારતાં લાગ્યું કે ટાઈપ ભૂલ હશે અને સતવી ને બદલે સતાવી હોવું જોઈએ. કવિ મિત્રોને મેઈલ કરીને આ બાબતની ખાતરી કરી જોઈ, ટાઈપ ભૂલ જ છે અને સતવીને બદલે સતાવી જ હોવું જોઈએ. Continue reading »

Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME