Jun 162010
 

માનનીય દિલીપભાઈ,

સૌપ્રથમ આપની લાગણી દુભાઈ છે તે માટે હું ખરા હ્રદયથી માફી માગું છું.

મારો ઈરાદો આપની લાગણી દુભાવવાનો નહીં પણ ઈન્ટરનેટ પર ફરતી ‘ટિપ્સ ફોર બેટર લાઈફ’નો મેં કરેલો અનુવાદ લાખો વાચકોની માનીતી કૉલમ મુખવાસમાં પ્રસિદ્ધ થયો છે તે ખુશખબર મારા બ્લોગના વાચક મિત્રો સાથે શેર કરવાનો હતો.

આપના પત્રમાં આપે લખ્યું છે કે મેં કોઈ લખાણ ચિત્રલેખાના તંત્રીશ્રીને કે ઈશિતાને ઉદ્દેશીને પ્રકાશનાર્થે ક્યારેય મોકલ્યું નથી તો પછી મુખવાસનો એ લેખ તમારા નામે કેવી રીતે છપાયો?

તમારું ન હોય એવું લખાણ તમારા નામે છપાય તે યોગ્ય છે?

આગળ કંઈ કહેતા પહેલા હું ચિત્રલેખા તરફથી સ્પષ્ટતાની રાહ જોઈશ.

-વિનય ખત્રીના જયશ્રીકૄષ્ણ!

સંબંધીત લેખ:

Powered By Indic IME