Jun 162010
 

માનનીય દિલીપભાઈ,

સૌપ્રથમ આપની લાગણી દુભાઈ છે તે માટે હું ખરા હ્રદયથી માફી માગું છું.

મારો ઈરાદો આપની લાગણી દુભાવવાનો નહીં પણ ઈન્ટરનેટ પર ફરતી ‘ટિપ્સ ફોર બેટર લાઈફ’નો મેં કરેલો અનુવાદ લાખો વાચકોની માનીતી કૉલમ મુખવાસમાં પ્રસિદ્ધ થયો છે તે ખુશખબર મારા બ્લોગના વાચક મિત્રો સાથે શેર કરવાનો હતો.

આપના પત્રમાં આપે લખ્યું છે કે મેં કોઈ લખાણ ચિત્રલેખાના તંત્રીશ્રીને કે ઈશિતાને ઉદ્દેશીને પ્રકાશનાર્થે ક્યારેય મોકલ્યું નથી તો પછી મુખવાસનો એ લેખ તમારા નામે કેવી રીતે છપાયો?

તમારું ન હોય એવું લખાણ તમારા નામે છપાય તે યોગ્ય છે?

આગળ કંઈ કહેતા પહેલા હું ચિત્રલેખા તરફથી સ્પષ્ટતાની રાહ જોઈશ.

-વિનય ખત્રીના જયશ્રીકૄષ્ણ!

સંબંધીત લેખ:

Jun 152010
 

ઈન્ટરનેટ પર ફરતી ટિપ્સ ટુ લાઈફનો મેં કરેલો ગુજરાતી અનુવાદ જીવન જીવવાની જડીબુટ્ટીઓ આ અઠવાડિયાની ચિત્રલેખાની લોકપ્રિય કૉલમ મુખવાસમાં ચિરયુવાનીની ૧૯ ચાવી મથાળા હેઠળ અને સુરતના ડૉ. દિલીપ મોદીના નામે પ્રસિદ્ધ થઈ છે. આ બાબત મેં મારા બ્લોગ પર મૂકી તેની પ્રતિક્રીયા રૂપે વાંચો ડૉ. દિલીપ મોદીનો પ્રત્ર:

પ્રિય વિનયભાઈ,

સવિનય નમસ્તે!

ચિત્રલેખા-મુખવાસમાં પ્રગટ થયેલ લખાણ મારું પોતાનું નથી, પરંતુ સાથે સાથે મેં કોઈ ઉઠાંતરી પણ કરી નથી. સત્ય પ્રતિ તમે પ્રકાશ ફેંક્યો તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. છતાં મને અંગતપણે જણાવીને સ્પષ્ટતા કરવાનો એક માત્ર મોકો તમે આપ્યો હોત તો… સારું થાત. તમે તો આખેઆખી વાતનું વતેસર કરીને સીધેસીધી તમારા બ્લોગ પર મૂકી દીધી. પરિણામે હું વાચકોની ટીકાનો-રોષનો બિનજરૂરી ભોગ બન્યો. આમ મારી થયેલી અયોગ્ય માનહાનિ થકી હું અત્યંત વ્યથિત છું!

કોઈ પણ વ્યક્તિની પ્રતિષ્ઠાને આંચ આવે, ખોટી રીતે ઉછાળેલા કાદવથી પોતાની છબી ખરડાય એવું નહિ જ ઈચ્છે, તે સ્વાભાવિક છે. હું પણ નહિ. હું સુરતમાં એક સિનિયર કવિ-ગઝલકાર-લેખક-તબીબ છું. હું મોટે ભાગે પદ્યમાં કામ કરતો આવ્યો છું. સિવાય કે ગદ્યમાં થોડાક નિબંધો કે લેખો મેં લખ્યા છે. ગુજરાતી સાહિત્યમાં આઠમા દાયકાના ગઝલકાર તરીકે મારી નોંધપાત્ર ગણના થાય છે. મારા લગભગ 8-10 પુસ્તકો/કાવ્ય-ગઝલસંગ્રહો પ્રસિધ્ધ થઈ ચૂક્યાં છે. આજ દિન પર્યંત મેં બહુ લખ્યું, બહુ છપાયું એટલે પ્રસિધ્ધિનો મને હવે મોહ રહ્યો નથી. વર્ષોથી પ્રામાણિકપણે-નિષ્ઠાપૂર્વક સર્જન કરતો રહ્યો છું. મારી મેડિકલ પ્રેક્ટિસને 33 વર્ષો પૂરાં થયાં છે. એક ડૉકટર તરીકે સંપૂર્ણ ethically (કોઈ કટકી-કમિશન વગર બિલકુલ ઈમાનદારીથી) કામ કર્યું છે તેનો મને સવિશેષ આનંદ અને સંતોષ છે. મારી પોતાની પ્રતિભા (ઈમેજ) વિશે તમને ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તે રીતે તપાસ કરાવવાનો મારો ખુલ્લો પડકાર છે. Continue reading »

Jun 122010
 

પ્રિય મિત્રો,

ચિત્રલેખાની લોકપ્રિય કૉલમ મુખવાસમાં આજે ચિરયુવાનીની ૧૯ ચાવી પ્રસિદ્ધ થઈ છે, ચાલો મમળાવીએ…

Continue reading »

Jun 102010
 

પ્રિય મિત્રો,

વર્ડપ્રેસ તરફથી બીજા બે થીમ ઉમેરવામાં આવ્યા છે…

૧) ગ્રેઝ્ડ! (૩જી જુન)

વધુ વિગતો માટે અહીં ક્લિક કરો! Continue reading »

Jun 022010
 

પ્રિય મિત્રો,

વર્ડપ્રેસ તરફથી આજે એક મસ્ત મજાની સગવડ ઉમેરવામાં આવી છે, * લાઈક! (ગમી!)

વર્ડપ્રેસને તેના વપરાશકારોની એકની એક રચના ફરી પ્રસિદ્ધ કરવાની આદતની ખબર છે તેથી તેના ઉપાય રૂપે ‘રીબ્લોગ’ નામની સુવિધા આજથી ઉમેરવામાં આવી છે. આ વાતની જાણ મને અશોકભાઈ મોઢવાડીયાની ગુજબ્લોગમાં મોકલાવેલી ઈમેઈલ દ્વારા થઈ. તે પછી કુણાલભાઈએ પણ આજ થેર્ડને આગળ ધપાવતી પોસ્ટ કરી.

* Likeની આ સુવિધા શું છે અને કેવી રીતે ઉપયોગી છે પહેલા સમજી લઈએ…

જ્યારે તમે વર્ડપ્રેસમાં લોગઈન થયેલા હશો અને તમને ગમતા બ્લોગ પર પોસ્ટ વાંચતા હશો ત્યારે ઉપર વર્ડપ્રેસ સંચાલનની પટ્ટીમાં ઉપર દર્શાવ્યા પ્રમાણે * Likeનું બટન મેનુમાં ઉમેરાયેલું દેખાશે. જે તમને ગમતી પોસ્ટને ‘ગમી, Like’ માર્ક કરવા માટે છે. એક વખત ‘ગમી’ માર્ક કર્યા પછી તે ‘you like this’ વંચાશે. તેવી જ રીતે આ પોસ્ટ અન્ય વાચકોને પણ ગમી હશે અને તેમણે તેને Like તરીકે માર્ક કરી હશે તો કેટલા વાચકોને આ પોસ્ટ ગમી તેનો આંકડો પણ દર્શાવશે! (નીચેના ચિત્રમાં તીરની નિશાની વડે દર્શાવ્યું છે) Continue reading »

Powered By Indic IME