Apr 182009
 

પ્રિય મિત્રો,

આજે મને ફોર્વર્ડ ઈમેઈલમાં એક પ્રેરણાદાયક વાર્તા મળી – ‘મનની ખીંટી’. આમ તો આ એક લોકકથા જેવી વાર્તા છે જેનું મૂળ શોધવું અધરું છે પણ ઈન્ટરનેટ પર ખાંખાખોળા કરવાની આદત/ફાવટ/શોખ/વ્યવસાયને લીધે એક પ્રયત્ન કરી જોયો અને નીચે પ્રમાણેના પરિણામો હાથ લાગ્યા:

૧. ઈન્ટરનેટ પર ફરતી મૂળ અંગ્રેજી કથા આ બ્લોગ પર વાંચી શકાય છે. (બ્લોગરને મૂળ લેખકની જાણ નથી.)

૨. આ અને આવી બીજી પણ પ્રરણાદાયક વાર્તાઓનો ગુજરાતી અનુવાદ શ્રી શાંતિલાલ ડગલીએ કરી તેને પુસ્તિકા સ્વરૂપ આપ્યું. પુસ્તકનું નામ – ‘આપણા હાથની વાત’, પ્રકાશક – આર.આર. શેઠ, કિંમત રૂ.૧૦/-, ૧૦૦ નકલ એક સાથે લેનારને રૂ.૫/-.

૩. ‘આપણા હાથની વાત‘ પુસ્તક પરિચય કરાવ્યો મૃગેશભાઈએ. (March 3, 2008)

એક વખત આ વાર્તા યુનિકોડમાં આવી ગઈ એટલે ઈમેઈલ ફોર્વર્ડર્સને મોકળું મેદાન મળી ગયું. (ઈમેઈલ કરનાર મૂળ લેખકનું નામ/સ્ત્રોત જાણી જોઈને મૂકતો નથી તેથી ફોર્વર્ડ કરનારને તેની ખબર પડતી નથી)

ફોર્વર્ડ મેઈલ વાંચીને સુરેશ જાનીએ (July 7, 2008), કાર્તિક મિસ્ત્રીએ (July 17, 2008) અને વિજય શાહે (April 8, 2009) તેમના બ્લોગ પર મૂકી.

અને હા, ‘ખરી પડે છે પીંછું’માં રીના મહેતાએ ‘ખીંટી માણસને ગમે છે‘ લેખમાં (March 5, 09) આ વાર્તાનો ઉલ્લેખ અનુવાદકના નામ સાથે કર્યો છે.

ટૂંકમાં આ લેખની ક્રેડીટ જાય છે તેના મૂળ લેખકને, ગુજરાતી અનુવાદક શ્રી શાંતિલાલ ડગલીને, યુનિકોડમાં ટાઈપ કરીને રીડ ગુજરાતી પર મૂકવા માટે શ્રી મૃગેશભાઈ શાહને.

- વિનય ખત્રી

  3 Responses to “'મનની ખીંટી' અને ખાંખાખોળા”

  1. વાર્તા સરસ …. !!

  2. શ્રી ડો. આઈ.કે.વીજળીવાળાનાં પણ આવાં ત્રણ પુસ્તકો છે. મનનો માળો,મોતીચારોં, અંતરનો ઉજાસ.

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Powered By Indic IME