નળસરોવરને કાંઠે નેનો
ગઈકાલે સમાચારોમાંથી જાણ્યું કે ટાટાની ટચુકડી કાર ‘નેનો’નો પ્લાન્ટ હવે સિંગુરથી સાણંદ આવશે.
સાણંદ ક્યાં આવ્યું વિચારતાં યાદ આવ્યું કે ભુજ જતાં અમદાવાદ પછી, વિરમગામ પહેલા સાણંદ ગામ આવે છે. સાણંદ સાથેની સ્મૃતિઓ વિશે વિચારતાં યાદ આવ્યું કે નળ સરોવરમાં પક્ષીઓની ફોટોગ્રાફી કરવા ગયા હતા ત્યારે સાણંદ સ્ટેશને ઉતર્યા’તા!
થોડા સમય પહેલાં સમાચારોમાં વાંચ્યું હતું કે ૨૦૨૦માં નળસરોવર શહેરમાં હશે પણ હવે ગઈકાલના સમાચાર વાંચીને મને નથી લાગતું કે હવે ૨૦૨૦ સુધી રાહ જોવી પડે!
દૂર દૂરથી આવતા વિદેશી પક્ષીઓ હવે ક્યાં ઉતરશે? અને આપણે પક્ષીઓની ફોટોગ્રાફી કરવા ક્યાં જશું?

નેનો નામના પક્ષીઓ એઅસ્તા પર ઊડતા થઈ જશે પછી આકાશના પંખીઓને વળી કોણ પૂછવાનું?
સમયસરની ચિંતા પણ એનાથી કોઈ અર્થ નહીં સરે…
વિવેક ટેલર
8 Oct 08 at 11:31 am
પક્ષીઓની ફોટોગ્રાફી કરવા માટે તો બીજે પણ જઈ શકાશે, પણ પક્ષીઓની કેટલીય પ્રજાતી પર જોખમ ઊભું જ છે,
પર્યાવરણની બાબતમાં ગુજરાત સરકાર જ નહિ, ગુજરાતીઓની ઉદાસીનતા પણ જાણીતી જ છે.
વિકાસની વાતોમાં આવી વાતો પહેલાથી જ વિસરાઈ જતી આવી છે. ચિંતા કરવી અને કંઇક કરી છૂટવું તે બન્ને અલગ વાત છે.
Shiv@nsh
8 Oct 08 at 2:08 pm
ગુગલ મેપ્સ પર સાણંદ
મનીષ મિસ્ત્રી
8 Oct 08 at 4:21 pm
મનીશની લીક પર જવાથી અને ઝુમ કરવાથી નલ સરોવર દેખાશે મને એ દુર હોય એમ લાગ્યુ.
Manoj
9 Oct 08 at 2:07 am
લોકોએ એક કરતાં વધુ જગ્યાએ ‘નેનો’ પ્લાન્ટ માટેની જગ્યા એવું વિકિમેપિયા પર માર્ક કર્યું છે!
વિનય ખત્રી
9 Oct 08 at 3:13 pm