May 082008
 

ઓર્કુટ પર “ધ અનિમેષ” નામે કોમ્યુનિટી છે:

“જો તમે ભુજના છો તો તમને અનિમેષનો પરિચય આપવાની જરુર નથી, પણ જે ભુજના નથી તેમના માટે અનિમેષ એટલે વન મેન “સાન્તા-બન્તા”. આપ આ કોમ્યુનિટીની પોસ્ટ વાંચશો એટલે અનિમેષ વિશે જાણી જશો.”

ઊઘડતે પાને આટલી પ્રસ્તાવના પછી સભ્યોએ અનિમેષના ટુચકા લખ્યા છે, જેમાંના ઘણા ‘સાન્તા-બન્તા‘માંથી તડફાવેલા હોય તેવું લાગે છે, છતાં કેટલાક મૌલિક કે પ્રાસંગિક છે. ચાલો માણીએ:

અનિમેષે નવું બાઇક લીધું, એક વાર જ્યુબીલી ગ્રાઉન્ડ પાસેથી બાઇક એક જ હાથે ચલાવતો આવતો હતો, ત્યારે એક ઠોલા (ટ્રાફિક પોલિસ) એ એને પકડ્યો અને પુછયું: “એક હાથે કેમ ચલાવે છે?”

અનિમેષે કહ્યું: “બાઇક વાળા એ કીધું છે કે બાઇક એક હાથે ચલાવશો તો લાંબો સમય ચાલશે.”

*** Continue reading »

May 072008
 

પ્રિય મિત્રો,

તડાફડીના વાચક, ચાહક, કોન્ટ્રીબ્યુટર અને ઓફિસમાં સાથે કામ કરતા મૂળ પુણેના એવા મરાઠી ભાઉ શ્રી અજય દેશપાંડેનું નાસિક ખાતે એક્સિડ્ન્ટમાં અવસાન થયું છે.

પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના…

તેમના સહકાર વગર આ લેખ હું લખી જ ન શક્યો હોત:

-અનિમેષ અંતાણીના પ્રણામ/જયશ્રી કૃષ્ણ/જય હાટકેશ

May 062008
 

લો, ૨૩ એપ્રિલના વિશ્વ પુસ્તક દિવસ હતો, અમને ખબર ય નહીં, ચાલો મોડા મોડા પણ મોળા નહીં, આપને અભિનંદન!

આ વાતની જાણ રીડ ગુજરાતીના આ લેખ વાંચવાથી થઇ, પછી નેટ પર ખાંખાખોળા કર્યા તો ખબર પડી કે ૨૩ એપ્રિલના વિશ્વ પુસ્તક દિન અને કોપી રાઈટ દિન તરીકે ઉજવવાની શરુઆત ૧૯૯૫થી યુનેસ્કો દ્વારા થઇ. આ દિવસ એ વિલિયમ સેક્સપીયરનો જન્મ અને નિર્વાણ દિન છે.

રીડ ગુજરાતીનો જુનો એક લેખ આજે વિશ્વ પુસ્તક દિન

આવતા વર્ષે સમયસર યાદ કરશું, બીજું શું?

May 052008
 

જાપાન મેનેજેમેન્ટની યાદગાર સમસ્યા:

આજે આપણે વાત કરવાના છીએ જાપાનની સાબુ બનાવતી એક કંપનીની સમસ્યા વિશે. વાત છે ‘ખાલી ખોખા’ની ફરિયાદ વિશે. ગ્રાહકની ફરિયાદ એ હતી કે ક્યારેક ક્યારેક સાબુના ખોખા ખાલી નીકળે છે, અંદર સાબુ હોતો નથી! આ ફરિયાદને કારણે કંપનીની શાખ જોખમાઇ. કંપની તરત જ આ સમસ્યાનો ઉકેલ લાવવાનો નિર્ણય કર્યો. સાબુ બનાવવાના યંત્રમાં ક્યારેક એવું થતું કે કોઇક ખોખું ખાલી રહી જતું અને તેમાં સાબુ ભરાતા નહીં. સમસ્યા સમજ્યા પછી એન્જિનિયરો દિવસ-રાત કામે લાગી ગયા અને કેટલાક દિવસોની સખત મહેનત અને સારા એવા ખર્ચ પછી અંત્યંત આધુનિક ક્ષ-કિરણો વડે ચકાસણી કરવાનું મોટા મોનિટર વાળું યંત્ર બનાવ્યું અને એક માણસને તેના નિરિક્ષણ માટે મૂક્યો. ખાલી ખોખાની સમસ્યા નિવારી શકાઈ હતી.

આવીજ સમસ્યા જાલંધરની એક સાબુ ફેકટરીમાં થઈ. એક સરદારજીએ મોટો પંખો લાવીને સાબુ બનાવવાના યંત્ર પાસે મૂકી દીધો. હવાના કારણે ખાલી ખોખા નીચે પડી જતા અને સાબુ વાળા ખોખા આગળ વધતા…

Powered By Indic IME