જન્મદિન મુબારક: ભગવતીકુમાર શર્મા

By વિનય ખત્રી, May 31, 2008 7:00 am

પ્રિય મિત્રો,

આજે ૩૧ મે. વર્લ્ડ ટોબેકો ડે. ધુમ્રપાન કરતા હો અને છોડવાની ઈચ્છા હોય તો આજનો દિવસ સપરમો દિવસ છે, ફેંકી દો સિગારેટને ગુટખા!

પણ આજે આ પોસ્ટ મૂકવાનું કારણ તે નથી.

આજે છે મારા પ્રિય સાહિત્યકાર-પત્રકાર શ્રી ભગવતીકુમાર શર્માનો જન્મ દિવસ. તેઓ આજે ૭૫મા વર્ષમાં પ્રવેશે છે. મેધાવી અને મૂર્ધન્ય શબ્દો નાના પડે તેમની આગળ. કવિ, પત્રકાર અને લેખક ભગવતીકુમાર શર્માનો જન્મ ૧૯૩૪માં થયો હતો. “જિંદગીના ૭૫ વર્ષ અને સર્જનના ૬૦ વર્ષ પછી આજે મને એકંદરે સંતોષની લાગણી થાય છે. મારી શારીરિક મર્યાદાઓ સાથે ઘણું લખ્યું છે મારાથી થઈ શકે તેનાથી વધુ લખ્યું છે ને બધું ધોરણસરનું લખ્યું છે.” ફયસલ બકીલી (અભિયાન) સાથેની મુલાકાતમાં તેઓ કહે છે.

તેમના વિશે લખવાનું મારું ગજું નથી. વધુ વિગતો માટે નીચેની કડીની મુલાકાત લો:

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.