કેટલાંક ચબરાકિયાં

By વિનય ખત્રી, April 5, 2008 7:00 am

૧. જો હું સમયની બચત કરું તો તે સમય મને (વ્યાજ સહિત) પાછો ક્યારે મળે?

૨. આ પછીનું વાક્ય સાચું છે. આ પહેલાનું વાક્ય ખોટું છે.

૩. મેં પહેલા કહ્યું તેમ હું એકની એક વાત વારંવાર કહેતો નથી!

૪. ક્યારેક મને એવી જરુર હોય છે જે ફક્ત તમે જ મને આપી શકો, આપની ગેરહાજરી!

૫. જો તમે પહેલા પ્રયત્ને સફળ થતા નથી તો આકાશમાંથી કુદકો મારવાનું સાહસ માંડી વાળજો.

૬. લડાઈથી એ નક્કી નથી થાતું કે કોણ સાચું છે, પણ એ નક્કી થાય છે કે કોણ બચ્યું છે! Continue reading 'કેટલાંક ચબરાકિયાં'»

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.