કેટલાક અર્થપૂર્ણ પાટિયા
ભારતીય લશ્કરનો એક વિભાગ છે બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈજેશન ઓફ ઈન્ડીયા. આ વિભાગ ભારતની સરહદો પર જ્યાં જવું અત્યંત કપરું હોય તેવી જ્ગ્યાઓને રસ્તાઓ વડે જોડે છે. તેમની વેબસાઈટ પર લખે છે “આપણે એ ભૂલવું ન જોઈએકે આ દુર્ગમ વિસ્તારના રસ્તાઓ ફક્ત સિમેન્ટ અને કોંક્રીટ વડે નથી બન્યા પણ બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈજેશન ઓફ ઈન્ડીયાના જવાનોના લોહી અને કેટલાક લોકોના બલિદાન વડે બન્યા છે” આ વિભાગે મૂકેલા કેટલાક પાટીયા જેની સુચનાઓ કદાચ આપણને સાચો રાહ દેખાડે…
