આર્ટ ઓફ લીવીંગ

By વિનય ખત્રી, March 26, 2008 7:00 am

આ પોસ્ટના ટાયટલમાં કોઈ જોડણી ભૂલ નથી કે ઉંઝા જોડણી પણ નથી અને તાજેતરમાં સુરત પધારેલા શ્રી શ્રી રવિશંકરના આર્ટ ઓફ લિવિંગ વિશેની આ પોસ્ટ નથી.

આજે આપણે વાત કરવાના છીએ art of leaving, છોડવાની કળા વિશે! પુણેરી પાટ્યા પર એક એવું પાટિયું વાંચવા મળ્યું જે આપણને જીવનમાં કેટલીક વસ્તુઓ છોડવાનું કહે છે! તો ચાલો જોઈએ ક્યારે શું છોડવું જોઈએ…

Puneri Patya

ક્યારે શું છોડવું જોઈએ?

  • ૧૦મે વર્ષે – મમ્મીની આંગળી પકડીને ચાલવાનું છોડો.
  • ૨૦મે વર્ષે – રમકડાથી રમવાનું છોડો.
  • ૩૦મે વર્ષે – અહીં તહી આંખો ફેરવવાનું છોડો.
  • ૪૦મે વર્ષે – રાત્રે જમવાનું છોડો.
  • ૫૦મે વર્ષે – હોટલમાં જવાનું છોડો.
  • ૬૦મે વર્ષે – વેપાર કરવાનું છોડો.
  • ૭૦મે વર્ષે – ગાદલાની પથારીમાં સુવાનું છોડો..
  • ૮૦મે વર્ષે – લસ્સી પીવાનું છોડો.
  • ૯૦મે વર્ષે – જીવવાની આશા છોડો.
  • ૧૦૦મે વર્ષે – જગત છોડો……

- મરાઠીમાંથી ગુજરાતી ભાષાંતર કરવા માટે અજયભાઈ દેશપાંડેનો ખૂબ ખૂબ આભાર!

7 Responses to “આર્ટ ઓફ લીવીંગ”

  1. ashalata says:

    સરસ જિંદગીની સફર——–

    પણ અમલમાં મૂકવાનું????????????????

  2. Good to Say!
    Is Better to live with this …….
    One who lives with this wisdom can have peace!
    સરસ જિંદગીની સફર….
    Let us all start this and keep me up date and stay connected .
    I love to put this in the “HASYADARBAR”.

    Editor
    http://www.bpaindia.org
    http://www.yogaeast.net

  3. shivshiva says:

    ભાઈ તું કઈ કેટેગરીમાં આવે છે?

  4. Pinki says:

    આપણને, આ બધું છોડવાનું જ-
    છોડી દેવાનું વધુ સરળ લાગે છે.

    nice one…….. !!

  5. અરે વાહ, This is so……cool…..

  6. niharika says:

    અમ્ને ગુજરતિ ગોૂગ્લે ખુબ જ ગમ્યુ
    આભર્

  7. Dhiren says:

    It is very good for every one

Leave a Reply

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.